________________
૧ee ધર્મશાસ્ત્રોએ ઠરાવેલા રજોદર્શન સમયના આહાર, વિહાર અને ખાનપાનનાં નિયમ મેગ્ય રીતે પાળ્યા હોય તે બાળકના શરીર અને મન ઉપર તેની સુંદર અસર પડે છે.
તે જ પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન પણ ધર્મશાસ્ત્રોએ નક્કી. કરેલા નિયમ પાળવામાં આવે કે તેમની અવગણના કરી સ્વચ્છેદી. જીવન જીવવામાં આવે તેની જન્મનાર બાળકના જીવન ઉપર સારી અથવા માઠી દૂરગામી અસર પડે છે.
આયુર્વેદ ઔષધિઓની બાબતમાં લખે છે કે જે ઔષધિ ગંદી જગ્યામાં એટલે કે સંડાસ પાસે ગંદા પાણીની નીક વહી જતી હોય ત્યાં કે એવા બીજા ગધાતા સ્થળોએ ઊગી હોય તે તે દવા તરીકે ઉપગમાં ન લેવી. કારણ કે તેમાં ગુણ કરતાં અવગુણ વધારે હેય. છે. આ જ નિયમ ગર્ભાશયને અને બાળકોને લાગુ પડે છે. શાસોને નિયમપાલનમાં માતા અને બાળક ઉપરાંત
સમાજનું હિત પણ સમાયું છે. અસ્વચ્છ ગર્ભાશયમાં આવેલું, માતાના તામસી, અખાદ્ય ખોરાક વડે પિવાયેલું, અશિષ્ટ તેમજ વિકારોત્તેજક વાતાવરણમાં રહેલી માતાનું બાળક શરીર નિબળ, રોગી કે સ્વછંદી અને સંસ્કૃત સમાજમાં બંધબેસતા ન આવે એવા સ્વભાવ અને વર્તનવાળું બને છે.
માટે રજોદર્શનના નિયમો પાળ્યા પછી ગર્ભમાં આવેલા બાળકના ભવિષ્યને વિચાર કરીને, સમાજને સુદઢ, ચારિત્ર્યશીલ બાળકની ભેટ આપવા માટે અને ભવિષ્યનાં પિતાનાં સુખ માટે પણ માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ખાનપાન, રહેણીકરણીને ધર્મશાસ્ત્રોએ અને આયુર્વેદે ઘડેલા નિયમોને પાળવા જોઈએ.
એ રીતે બાળકના જન્મ પછી તેને ગની સારસંભાળના ખર્ચ માનસિક ઉપાધિ તેમજ તે મોટું થયા પછી તેના તરફથી અવહેલના થવાની શક્યતા ટાળવી જોઈએ.
બાળક ગર્ભમાં હોય ત્યારે જે અતિશય તીખા પદાર્થો ખાવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org