________________
૧૪
આપણે કયાં જઈ રહ્યા છીએ? બ્રિટિશ સમય પહેલાં આપણે રૂ, સુતર, દરેક જાતનું સુતરાઉ કાપડ, રેશમ, દરેક જાતનું રેશમી કાપડ, ઊન, બકરાંના ઊનની મુલાયમ. વગેરે ચીજો, ગૃહઉદ્યોગની ખાંડ, ગળી વગેરે ચીજે નિકાસ કરીને દેશને કારીગરોને તેમના ઘર આંગણે રોજી-રોટી આપીને રાષ્ટ્રની સમૃદ્ધિ વધારતા. (Economic History of India by R. C. Dutt - Vol. 1, Pages 203/204)
અંગ્રેજોએ આપેલી હિંસાત્મક અર્થનીતિને વારસો જાળવી રાખીને હવે પશુઓનાં અંગ-ઉપાંગેની નિકાસ દ્વારા કમાણી કરવાની આસુરી વૃત્તિ કેળવતા જઈએ છીએ અને દેશને બેકારી, ગરીબી, બિમારી, ગુનેગારીના ખાડામાં ધકેલી પરદેશી કરજના બેજા નીચે કચડાતા જઈએ છીએ.
દેશમાં જ્યારે મૈત્રી-સેવા અને અહિંસાનું વાતાવરણ જમાવવાની જરૂર છે, ત્યારે જ આપવાના અંચળા નીચે સ્થાપાતાં કતલખાનાં, લેકમાનસમાં હિંસા એ રાબેતા મુજબનું કાર્ય છે અને જીવન જીવવા માટે તેમ જ રેજી, મેળવવાની સ્વીકાર્ય પદ્ધતિ છે એ માન્યતા - જન્માવશે. .
આર્થિક નીતિમાં આર્થિક ડહાપણનો અભાવ * દેશમાં જમીન ખેડવા માટે તેમ જ વાહનવ્યવહાર માટે બળદની; દૂધ, ઘી અને બળતણની ગરીબ માટે ગરમ કાપડ તેમ જ રહેઠાણોની ઉગ્ર અછત છે. | દૂધ પાઉડર, શુદ્ધ ઘીનું સ્થાન લેવા બટર ઓઈલ, કેરોસીન, શિન વગેરે ચીજોની આયાત કરવા પાછળ અબજો રૂપિયા ખરચવા પડે છે.
' ખેતી નીચેની કુલ જમીનના માત્ર ૧૮ ટકા સિંચાઈની જમીનમાં જ વપરાઈ શકે એવા ફર્ટિલાઈઝરની આયાત અથવા તેમના ઉત્પન્ન માટે કારખાનાઓ પાછળ અબજો રૂપિયાની મૂડી બિનજરૂરી રીતે સલવાઈ પડી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org