SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આવી કંગાલ સ્થિતિની ઉપેક્ષા કરીને દેવનારના કતલખાનાનાં ધરણે દરેક મોટા શહેરમાં નવાં કતલખાનાં શરૂ કરવાં, અને તેમ કરીને ઉપર જણાવેલ તમામ ચીજોની અછતને વધુ ઉગ્ર બનાવવી અને આયાત વધારવી તેની પાછળ કઈ જ આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. પશુનાશથી ઘટતું જતું અનાજનું ઉત્પાદન * સૌરાષ્ટ્રમાં જમીનની ક્ષમતા એક એકરે ૨,૦૦૦ પાઉન્ડ બાજરો 2449161 3. (Hand book Agriculture, Published by I.C.A.R.) છતાં બળદની ખેંચને કારણે યોગ્ય ખેડાણ ન થવાથી અને પશુઓની ઉગ્ર અછતને લીધે પૂરતું ખાતર ન મળવાને કારણે એકરે ૭૦૦ થી ૮૦૦ પાઉન્ડ બાજારે ઊતરે છે અને દેશનું બાજરાનું એકરદીઠ સરેરાશ ઉત્પાન માત્ર ૧૮૨ કિલે જ છે. (India, 1974). જુવાર, ડાંગર વગેરે બીજા ખરીફ પાકની પણ આવી જ હાલત છે. જેની સીધી વિપરીત અસર પશુઓના ચારા ઉપર, તેમની શ્રમ કરવાની તેમ જ દૂધ આપવાની શક્તિ ઉપર અને અંતે દૂધ તેમ જ શુદ્ધ ઘીના પુરવઠા ઉપર પડે છે. - અધાપાનો વધતો ભય બીજા દેશમાં જ્યારે લેકેને રોજ માથાદીઠ એકથી દોઢ લિટર દૂધ મળે છે, ત્યારે આપણા દેશમાં સરેરાશ દેઢ ગ્રામ દૂધ પણ નથી મળતું. પરિણામે અપષણના રેગે, આંખેની બિમારી અને અંધાપાને - ભય વધતું જ જાય છે. પૂરતા પ્રમાણમાં દૂધ મળે તે જે અનેક રોગોને અટકાવી શકાય, તે રોગની સારવાર માટે દર વરસે કરોડો રૂપિયાની દવાઓ વાપરવી પડે છે, અને એ દવાઓના ઉત્પાદન પાછળ અબજો રૂપિયાની મૂડી રોકવી પડી છે. પશુઓની સંખ્યા ઘટતી જતી હોવાને કારણે દેશમાં બેકારી, ગરીબી અને ગુનાખોરી, અમર્યાદિત રીતે વધતાં જાય છે. ગુનાખોરી, ડામવા સરકારને વધુ ને વધુ ખરચ કરે પડે છે અને એ ખરચના નાણાં મેળવવા વધુ ને વધુ કરવેરા નાખવા પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy