________________
૧૨૭
મળવાથી તેમને બધે એકદમ બંધ પડી ગયો અને તેઓ સામુદાયિક રીતે બેકાર થઈ ગયા. ગાયે અને બળદ બહુ મેટી સંખ્યામાં કપાઈ જવાથી, બળતણની અને ખાતરની તંગી થઈ અને બળદના ભાવ વધી ગયા. દેશના તમામ ખેતરોમાં ખાતરની ખેંચના કારણે, અને મેંઘા તેમ જ અપૂરતા બળદેથી ગ્ય ખેડાણ કરવાનું મુશ્કેલ બન્યું તેથી પાક ઓછો ઊતરવા લાગે.
હરિજનેને મહેસુલ ભરવાનું મુશ્કેલ પડવાથી તેમને ખેતરે વેચી નાખવાં પડ્યાં. એટલે તેમને અનાજ મેળવવાને પ્રશ્ન ઊભું થયે.
ગામડાંઓના વર્ગને કાપણીની મોસમમાં મજૂરીના બદલામાં અનાજ મળતું, તે દિવસની મજૂરી લેખે નહિ પણ પાકના ઉત્પન્નના પ્રમાણમાં, દર ૪૮૦૦ રતલ એટલે કે દર ૧૨૦ મણે અમુક રતલ અનાજ મળતું. હવે ઉત્પન ઘટવાથી તેમની અનાજની આવક ઉપર કાપ પડ્યો એટલે હરિજનને બજારમાંથી અનાજ ખરીદવાને પ્રસંગ આવ્યું. પણ દેશનું ઉત્પાદન ઘટતું હતું, ઉત્પાદન-ખરચ વધતે હતો, અને અંગ્રેજ અહીંથી અનાજની વધુ ને વધુ નિકાસ કરતા હતા, એટલે અનાજના ભાવ વધતા હતા.
પિતાને ધંધે ગુમાવીને સામુદાયિક રીતે બેકાર બની ગએલા હરિજને માટે આ સ્થિતિ અસહ્ય હતી, છતાં એ નિવારી શકવાને તેઓ અશક્ત હતા.
બેકારીમાંથી ગરીબાઈ - સંભવ છે કે આ બેકારીમાં ધીમે ધીમે તેમણે પિતાની બધી બચત ખરચી નાખી હોય અને ઘરબાર, ઘરવખરી તમામ વેચીને ઉઘાડા આકાશ નીચે આવી પડ્યા હેય.
આજે આપણે તેમને મુડદાલ, માંસ ખાનારા કહીને વગાવીએ છીએ, પણ તેઓ સારે અને સ્વચ્છ ખેરાક ખાઈ શકે તેવી સ્થિતિ કેમ પેદા થાય તેને વિચાર કરતા નથી. તેમને સારો ખોરાક મળી શકતે હોય તે મુડદાલ માંસ તેઓ શા માટે ખાય? અચાનક આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org