________________
૧૨૬ લુહાર, સુથાર, કુંભાર, દરજી, મચી વગેરેની સ્ત્રીઓ પૂરક આવક મેળવવા ખેતરોમાં કાપણી માટે જતી અને તેના બદલામાં તેમને અનાજ મળતું.
અંગ્રેજોએ વધારેલ આર્થિક ભાર અંગ્રેજોએ આ સ્થિતિ પલટાવી. તેઓ જેમ જેમ પ્રદેશ છતતા ગયા તેમ તેમ છતાએલા પ્રદેશમાં મહેસુલમાં ધરખમ વધારે કરતા ગયા.
ઈ.સ. ૧૭૬૪માં બંગાળને નવાબ પિતાના રાજ્યમાંથી ૮૧ લાખ રૂપિયાનું મહેસુલ ઉઘરાવતે, બંગાળ જીત્યા પછી અંગ્રેજોએ એ મહેસુલ વધારી ર૬૮ લાખ રૂપિયા કર્યું. ઈ.સ. ૧૮૦૨માં અયોધ્યાના નવાબ પાસેથી અલ્હાબાદ અને તેની આજુબાજુને પ્રદેશ જીતી લીધે. એટલે -તે પ્રદેશનું મહેસુલ ૧૨૫ લાખ રૂપિયામાંથી વધારીને ૧૬૮ લાખ
રૂપિયા કર્યું. (આર. સી. દત્ત કૃત ઇકેનેમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા - ભાગ ૧) સમગ્ર ભારતનું મહેસુલ ૧૮૩૭-૩૮માં ૧૧ કરોડ ૮૫ લાખ રૂપિયા હતું તે ૧૮૭૭-૭૮માં વધારીને ૧૯ કરોડ ૮૯ લાખ રૂપિયા અને ૧૯૦૧-૧૯૦૨માં ૨૭ કરોડ ૪૩ લાખ રૂપિયા કરી નાખ્યું. (આર. સી. દત્તકૃત ઈ.હિ એફ ઈન્ડિયા-ભાગ ૨, પાન ૧૫૩, ૪૩૫).
સામૂહિક બેકારી માટેની યોજના કર્નલ બ્રીઝ અને બિશપ હેબરે લખ્યું છે કે, “કોઈ પણ હિંદી રાજાએ અંગ્રેજોના જેટલું મહેસુલ વસુલ કર્યું નથી એટલું જ નહિ, ભારતમાં અંગ્રેજોએ જેટલું મહેસુલ વસુલ કર્યું તેટલું મહેસુલ એશીઆ કે યુરોપના કેઈ રાજાએ વસુલ કર્યું નથી.”
બીજી તરફથી ૧૮૫૯ થી ૧૯૦૨ સુધી ૪૩ વરસના ગાળામાં અંગ્રેજોએ આશરે ત્રણ અબજ ગાયે અને બળદે કાપીને તેમનાં ચામડાં. પરદેશ મોકલી આપ્યાં.
આ કતલની, ચામડાંની નિકાસની, અને રાક્ષસી મહેસુલ-વિધારાની અતિ ગંભીર અસર સમગ્ર હરિજનકેમ ઉપર પડી. જેમાં રૂના મળે તે કાપડની મિલે બંધ પડી ય તેમ મરેલા ડેરનાં ચામડાં ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org