________________
૧૦૨
દરદો ૨૪ થી ૪૮ કલાકમાં જ લેકેને મારી નાખતાં. હવે ટી. બી. કેન્સર, કીડનીના રોગ ૨૪ થી ૪૮ મહિના સુધી દરદીને રિબાવ્યા પછી મારે છે.
ફાર્મસી ઉદ્યોગને કમાણી કરવામાં રસ છે આધુનિક વિજ્ઞાન અને આધુનિક જીવન જીવવાના ઓરતાના કારણે ટી. બી, કેન્સર, કીડની જેવાં દરદીની સદંતર નાબૂદી અશક્ય બની છે. છતાં આપણા દેશ પૂરતાં આપણે બુદ્ધિપૂર્વકનાં વહેવારુ પગલાં લઈને એ. રેગોને અંકુશમાં રાખી શકીએ ખરા પણ આપણી મેટી મુશ્કેલી એ છે કે આપણા રાજકર્તાઓને રેગે પેદા થતા અટકાવવામાં રસ નથી. એમને તે રોગ વધારવામાં અને પછી રોગોની સારવારને નામે ફાર્મસી ઉદ્યોગોને લેકેનું શેષણ કરવા દેવામાં જ રસ છે.
હજી સુધી કેન્દ્રને કે એક પણ રાજ્યના કોઈ જ આરોગ્ય પ્રધાને લેકોનું આરોગ્ય સુધારવાનાં પગલાં લીધાં નથી. તેમણે દવાઓનું ઉત્પાદન વધારવામાં અને ફાર્મસી ઉદ્યોગમાં વધુ ને વધુ મૂડી રોકવામાં અને રોકવા દેવામાં ગૌરવ અનુભવ્યું છે. આરોગ્ય સુધારવું અને રોગ મટાડવે એ. બને એકબીજાથી ભિન્ન કર્યો છે, તેનું એમને ભાન પણ હશે કે કેમ? તે એક સવાલ છે.
ક્ષયને ઉદ્દભવ અટકાવે ટી. બી. ઉદ્ભવ અટકાવવાના પ્રયાસે હજી થતા જ નથી. ટી. બી. ફેલાય છે. પછી ટી. બી,ની કલીનીકોને ફેલાવે થાય છે. જે પ્રદેશે. ટી. બી.ના રોગ સામે રક્ષણ આપે એવી આબોહવાવાળા હતા ત્યાં પણ ટી. બી. એ પિતાને પંજો ફેલાવે છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર જેવા. સૂકી અને તંદુરસ્ત આહવાવાળા પ્રદેશમાં પણ ટી. બી. અને ટી. બી. ની સારવારનાં કેન્દ્રો વધતાં જાય છે.
સાઠ લાખની વસતી ધરાવતા મુંબઈ શહેરમાં સર્વોદય નામની ટી. બી.ની ખાસ હોસ્પિટલ છે. બીજી પણ નાનટી હોસ્પિટલે મ્યુનિસિપાલિટી દ્વારા ચાલે છે.. "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org