________________
૯૮
ભેળસેળ કરનારા સલામત આ સંજોગોમાં એક પશુપાલક પિતાની ગાય કે ભેંસ આપણી નજર સામે દેહીને ચકખું તાજું દૂધ આપે, અને ભેળસેળને ગુના શોધક કર્મચારી તે વખતે તેને પકડે અને દૂધ ચાર ટકા ચરબીવાળું સાબિત ન થાય તે તેને બિચારાને દંડ અને જેલ એમ બન્ને સજા થાય.
પણ જો એ પશુપાલક દૂધમાં દૂધ જેટલું જ પાણી નાખે અને તેમાં છ થી સાત ટકા ડુક્કરની, ગાયની કે કોઈ પણ પ્રાણીની ચરબી નાખી એની પ્રેસ કરીને વેચે તે તેને કોઈ સજા ન થાય.
આમ આ પ્રમાણિતપણાના ખેટા માપદંડથી ભેળસેળ કરવાનું વધુ શકય બન્યું છે. ભેળસેળ કરનારો સલામત છે. ભેળસેળ ન કરનારા પ્રમાણિક વેપારીને જેલમાં ધકેલી દઈ શકાય છે. આવી, કૃત્રિમ અને " કરણ દશા છે; ખેતીપ્રધાન દેશની પ્રજાની, અને ખેતીપ્રધાન દેશના પશુપાલકેની.
ખેતીપ્રધાન દેશની આ કેવી શરમજનક સ્થિતિ વિશ્વમાં કદાચ ભારત જ એ ખેતીપ્રધાન દેશ છે જે પિતાની જરૂરિયાતના અનાજ, દૂધ, ઘી, તેલ, બળતણ વગેરે ઉદ્યોગપ્રધાન દેશે પાસેથી ખરીદે છે. એ એક જ એ ખેતીપ્રધાન દેશ છે જેની સરકારને પિતાના લાખ લાખ વરસને પેઢી દર પેઢી અનુભવ ધરાવતા ખેડૂતોને અને પશુપાલકોને વિશ્વાસ નથી, પણ હિત ધરાવતા પરદેશીઓ અને પરદેશીઓના ભારતીય મિત્રામાં વિશ્વાસ છે.
અને વિશ્વમાં સહુથી મેટ કરજદાર દેશ પણ ભારત દેશ જ છે, જેના મોટા ભાગનું કરજ અનાજ, દૂધને પાઉડર બટર ઓઈલ, તેલ, ફર્ટિલાઈઝર અને કેરોસીનની આયાત કરવાથી થયું છે.
સરકાર શકુનિઓની જાળમાંથી મુક્ત થશે? આપણે દૂધને વેપારની ચીજ બનાવીને કેવી કરુણ દશામાં આવી . પડયા છીએ? આપણે વધુ ને વધુ ગૌરવભંગ થઈએ છીએ, કરજના
વાર તળે દબાતા જઈએ છીએ, પરદેશીઓની લાચારી ભેગવીએ છીએ, પણ તેય પેટે રસ્તેથી પાછા વળવામાં આપણને નાનમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org