SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે, જે હૃદયરોગમાં પરિણમે છે. પણ ઘી ચાંદા પાડતું નથી. તે જખમ રૂઝાવનાર છે, તેનું વીર્ય બને છે અને હૃદયને બળવાન બનાવે છે. આમ ચરબી અને ઘી અથવા માખણ, જુદા જુદા ગુણધર્મોની એકબીજાથી ભિન્ન વસ્તુઓ છે. દૂધમાં ઘીના પ્રમાણને બદલે fat percent: ચરબીના પ્રમાણને માપદંડ બનાવવાથી એક તે ફેટ શબ્દ રૂઢ થઈ જવાને લીધે તેની સૂગ ઓછી થઈ. ઘી અને ચરબી બન્નેને ફેટ માનવાથી, લેકમાનસમાં ઘીની ઉપગિતા ઓછી થઈ, પરિણામે ઘી ખાવાની વૃત્તિ ઓછી થઈ અને આખરે ધીમે ધીમે એક નવી જ પરિ. રિસ્થતિ પેદા થઈ. રસ્તે અવળો પકડયો. દૂધને પુરવઠો વધારવા માટે પશુવધ બંધ કરવાને બદલે ભેળસેળને કાય કરવાથી દૂધને પુરવઠો ન વળે, પણ ભેળસેળ અને. ભ્રષ્ટાચાર બને વધ્યાં. સાથે દૂધના ભાવ પણ વધ્યા. દેશમાંથી પશુએના ખોરાકની આડેધડ નિકાસ કરી નાખવાથી, અને કપાસિયા પીલી. નાખવાથી, આપણા દેશમાં દૂધમાં માખણનું પ્રમાણ ઘટી ગયું. દૂધમાં સાત ટકા ચરબી (7% fat) ન હોય તે તે દૂધ પકડાય ત્યારે વેપારીને સજા થાય. એટલે ભ્રષ્ટચાર અને ભેળસેળ કુદકે ને ભૂસકે વધતાં ગયાં. અને તેમાં સ્થાપિત હિતેનાં જાળાં જામતાં ગયાં અને એ જાળાંની જાળમાં સરકારના પગ અટવાતા ગયા. આખરે પાઉન્ડ આવ્યું હજી પણ દૂધને પુરવઠો વધે માટે પશુવધ બંધ કરવા અને પશુઓના ખેરાકની નિકાસ બંધ કરવાને બદલે સરકારે દૂધ માટે પર.. દેશની સહાય માગી. જે પશુપાલકો લાખ લાખ વરસથી આ દેશમાં ઘી-દૂધની નદીઓ રેલાવતા, તેમની સહાય લેવામાં સરકારને ન્હાનમ લાગી, પણ પર-- દેશીઓની કદમબેસી કરવામાં ગૌરવ માન્યું. સહાયના નામે અબજો રૂપિયાનું કરજ કરીને ડેરી ઉદ્યોગ વિકસાવ્યું. કરોડો રૂપિયાનાં મકાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy