________________
જેવી વ્યક્તિઓ દ્વારા ધર્મ વિરુદ્ધ પ્રચાર, બીજી તરફથી ધર્માચાર્યો ઉપર એમના જ અનુયાયીઓમાંથી કોઈ ને કોઈ અનુયાયીને હાથમાં લઈ તેના દ્વારા ગંદા આક્ષેપ અને ગંદા પ્રચાર કરીને તથા ધર્મસ્થાને વિષે પણ ગંદો પ્રચાર કરીને લેકોની ધર્મ પ્રત્યેની ભાવના બુઠ્ઠી કરવા પ્રયત્ન આદર્યા. બીજી બાજુ જૂની આસામીઓને સત્તાના
રે ખતમ કરી, મિલેની એજન્સીઓ, મુકાદમી, ઈજારા, કેન્દ્રા, દલાલી વગેરે આપીને તેમની કદાગીરી બની રહે તેવી વ્યક્તિઓની નવી આસામીઓ ઊભી કરી. આ આસામીઓને ધનપ્રવાહ મંદિર તરફ અને એ રીતે હિંદુધર્મ અને સંસ્કૃતિના શિક્ષણ માટે વપરાતે તે બંધ કરાવીને સરકારી હોસ્પિટલ અને અંગ્રેજી કેળવણીની સંસ્થાઓ તરફ વાળે. જ્યાં ભારત વિરુદ્ધ તથા હિંદુધર્મ અને તેની સંસ્કૃતિ વિરુદ્ધ કાર્ય કરી શકાય, અને હિંદુઓની પ્રાચીન રૂઢિઓ, રીતરિવાજે વગેરે પ્રત્યે ઉપેક્ષા સેવે એવા વિદ્યાથીઓ તૈયાર કરી શકાય.
સુધારક બન્યા; દેશના બગાહકે! જેમણે અંગ્રેજોની મહેરબાનીથી સમૃદ્ધિ મેળવી, તેમના પુત્રોને કેળવણીને નામે યુરોપ મેકલી ત્યાં તેમને દારૂ અને માંસાહાર તરફ વાળ્યા અને જ્યારે સમાજે તેમને બહિષ્કાર કર્યો ત્યારે સરકારી માલિકીનાં વર્તમાનપત્રોના પ્રચારના પીઠબળથી તેઓનું એક જુદું જ જૂથ જગ્યું. જેને પ્રગતિવાદી તરીકે અથવા સુધારક તરીકે બિરદાવતા અને તેમને બહિષ્કાર કરનારાઓને સમાજદ્રોહી, જડસુ, પ્રત્યાઘાતી તરીકે ઉતારી પાડવામાં આવતા.
ખ્રિસ્તી ધર્મમાં વટલાવ્યા વગર જ જેને અર્ધખ્રિસ્તી કહેવાય એવો એક વર્ગ અહીં હસ્તીમાં આવ્યું. છતાં રાજદ્વારી ક્ષેત્રે આવા વર્ગને જ હિંદુ સમાજના અગ્રણીઓ તરીકે સ્વીકારાયે. જેથી જે ભવિષ્યમાં હિંદુપ્રજા માંસાહારના પ્રચાર સામે વિરોધ કરે તે તેને કહી શકાય કે તમારા આગેવાને જ માંસાહારી છે પછી તમે શેના વિરોધ કરે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org