________________
૭૮
શક્યો ન હતું કે સંપૂર્ણ ગોવધબંધી કરવાથી દેશના અર્થતંત્રનું દેવાળું નીકળી જશે.
સુપ્રીમ કોર્ટમાં મુસલમાનોને ગાયની કુરબાની કરવાનો અધિકાર નામંજુર થયેલ હતું. છતાં ઘણાંએ એ અધિકારની વાત આગળ કરી હતી. તે ઘણાએ ગોવધબંધીથી માંસના ભાવ વધી જશે એની ચિંતા વ્યક્ત કરી હતી. પણ ૧૯૪૭ પછી દરેક ચીના ભાવ ૧૦૦ થી ૧૦૦૦ ટકા સુધી વધી ગયા છે, તે બાબતમાં તેમાંના કેઈએ કદી. હરફ પણ ઉચ્ચાર્યો નથી.
કુરબાનીને અર્થ શું? પણ આ બધી વિગતે બાજુ પર રાખીને આપણે વધુ મહત્વનો મુદ્દો તપાસીએ. કુરબાની એટલે શું? તેને મારી નાખવું? એ અર્થ થાય છે ખરે? અને એવો અર્થ થતું હોય તે ધાર્મિક અધિકાર ભોગવવા માટે ઈસ્લામની શરિયતનું પાલન કરવા માટે ફક્ત ઈદના એક જ દિવસે કેટલાં પશુઓની જાનહાનિ થાય? મુસ્લિમોને ગેહત્યા કરવાનો અધિકાર માન્ય નથી રખાયે પણ બકરી મારવાની છૂટ તે છે જ. દેશમાં ૬,૧૪,૧૭,૯૩૪ મુસ્લિમ છે (ઈન્ડિયા ૧૯૭૪, પાનું ૧૩) ને ૬,૪૬,૦૦,૦૦૦ બકરાં છે. (ઈન્ડિયા ૧૯૭૪, પાનું ૨૮૬).
જે મુસ્લિમે કુરાનની શરિયતનું પાલન કરીને એક જ દિવસમાં તમામ - બકરાંને કુરબાનીને નામે કાપી નાખે તે શું સ્થિતિ થાય? કદાચ સહુથી પહેલે વિધ સિક્યુલરીઝના નામે ગોહત્યા ચાલુ રાખવાના હિમાયતી માંસાહારી હિંદુઓને જ આવી પડશે. કારણ કે ઈદના બીજા જ દિવસથી તેમને મટન મળશે જ નહિ. સાઉદી અરેબિયામાં સાત માણસ દીઠ એક ઊંટ મારી નાખે તે એક પણ ઊંટ નહિ બચે. શું ઈરાન કે ઈજિપ્તમાં એક જ દિવસમાં ૫ – ૭ કરોડ બકરાં કે બાંગલા દેશમાં ૧૨-૧૫ કરોડ બકરાં એક જ દિવસમાં મારી નંખાય છે? અને ન મરતાં હોય તે શું તેઓ ઇસ્લામના શરિયતને ભંગ કરે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org