SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય બનાવ્યો હતે. રાજ્ય પ્રધાનમંડળે પણ તેમ જ માનતાં હોય એવું લાગે છે. આ પ્રધાને ઘણી વખત ગવધ ચાલુ રાખવા માટે Secularism.. " ને આશ્રય લે છે અને મુસલમાને ના ગાયની કુરબાની કરવાના અને. ગમાંસભક્ષણ કરવાના અધિકાર છીનવાઈ ન જાય માટે ગેહત્યા ચાલુ. રાખવાની આવશ્યક્તા આપણને સમજાવવાના બાલિશ પ્રયાસ કરે છે. કુરબાનીને અર્થ “મરી જવું” એ થાય છે, મારી નાખવું એ અર્થ નથી થતું. કેઈપણ અમુક ચોકકસ સિદ્ધાંતની ખાતર ખાસ કરીને ધાર્મિક અને રાષ્ટ્રીય હિતેનું રક્ષણ કરવા ખાતર મરી ફીટવું. ખુવાર થઈ જવું, તેને કુરબાની કહે છે. કોઈને મારી નાખવું એ કુરબાની નથી. ' ગેહત્યા વિરુદ્ધ ના. આગાખાનનું મંતવ્ય ઈ. સ. ૧૯૨૮-૨માં દિલ્હીમાં મળેલી અખિલ ભારતીય ઇસ્લામી. પરિષદ સમક્ષ બેલતાં ના. આગાખાને કહ્યું કે, “હિંદુઓ અને મુસ્લિમ વચ્ચે ગોવધના કારણે કાયમની તંગદિલીને નાબૂદ કરવાને ઉપાય શોધી કાઢવાની આપણી સહુની ફરજ છે. ધર્મની ખાસ કુરબાની કરવાની પ્રથા ક્યારથી શરૂ થઈ એ તપાસીએ તે તે આ પ્રશ્નને ઉકેલ લાવવા મદદરૂપ થશે. આપણે સહુ એ વિષયમાં સંમત છીએ કે ઈબ્રાહીમ. ઐતિહાસિક કુરબાનીની આપણે ઉજવણું કરીએ છીએ. પણ આપણે એ જાણી લેવું જોઈએ કે ઈબ્રાહીમ કે જે એક મહાન ધાર્મિક વડા હતા, તેમણે ગાયની કુરબાની કરી ન હતી. તે ઉપરાંત આપણું : 'ધાર્મિક પુસ્તકમાં પણ પશુઓની કુરબાની કરવાને આદેશ નથી. આપણામાંના કેટલા હાજીએ (હાજી એટલે મક્કાની હજ યાત્રા કરનારા) ઇસ્લામને જ્યાં જન્મ થયો હતે એ અરબસ્તાનમાં ગાયની કુરબાની - કરે છે? અને તે ત્યાં ગાયની કુરબાની ન કરી હોય તે શું તેમણે ઇસ્લામના આદેશને ભંગ કર્યો છે? હું નિઃશંકપણે કહું છું કે તમે સહુ તેને જવાબ નકારમાં આવશે. તે પછી ભારતમાં આપણે ફાનીના આ પ્રશ્નને જુદા જ દષ્ટિબિંદુથી શા માટે જવું જોઈએ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy