________________
ગાય અને સ્ત્રી બન્નેનું હિંદુ સમાજમાં સમાન સ્થાન છે. તેમનું મૂલ્યાંકન ધાર્મિક અને સુસંસ્કૃત, સમૃદ્ધ સમાજવ્યવસ્થા ચાલુ રાખવાની દષ્ટિએ કરવામાં આવ્યું છે. તે બન્ને વિના સુસંસ્કૃત સમૃદ્ધ સમાજની કલ્પના પણ થઈ શકે નહિ. માટે જ હિંદુ ધર્મે ગેહત્યા અને સ્ત્રીહત્યા મોટામાં મોટાં પાપ ગણાય છે.
સેકયુલરિઝમને સિદ્ધાંત ધર્મતરવને ઉપેક્ષિત કરવા માટે હશે?
હિંદુ ધર્મમાં જે કોઈનું મૂલ્યાંકન ધર્મ અને સંસ્કૃતિની દષ્ટિએ થયું, એ તમામને ધર્મથી રક્ષિત બનાવી તેને નાશને મહાપાપ ગણવામાં આવ્યું. આપણે એ મહાન અને શ્રેષ્ઠ મૂલ્યને ઉખેડી નાખીને માત્ર આર્થિક દૃષ્ટિએ નવું મૂલ્યાંકન કરવું હોય તે ધર્મના રક્ષણથી તેમને દૂર કરવા જોઈએ. તેમ કરવા માટે ધર્મ તરફ ઉદાસીનતા પેદા કરવી જોઈએ. અને એટલા માટે જ શેષક અર્થવ્યવસ્થાના પૂજારીએએ રાષ્ટ્રવાદના નામે ધમને ગૌણ બનાવી socialismનું સૂત્ર હવામાં તરતું મૂકયું છે.
શેષણને આ નમ તાંડવેને થંભાવીને ગાયને સમાજમાં તેનું અસલ સ્થાન ન અપાવી શકીએ, Dairy animal બનેલી ગાયને ડેરીની ચાર દીવાલે વચ્ચેના કેદખાનામાંથી છોડાવીને સમાજમાં ઘેર ઘેર ન પહોંચાડી શકીએ તે સ્ત્રીસમાજને પણ શેષણને મહાવિનાશક જડબામાં ધકેલાઈ જતી અટકાવી શકીશું નહિ.
- હવે નારી ઉપર ઘેરાતાં આફતનાં વાદળ - ભારતની ગાય ખતમ થવાની અણી ઉપર છે. જે ગાયે કતલ. ખાનેથી બચી છે તે ડેરીઓની દીવાલે વચ્ચે કેદમાં પડી છે. વળી જે ગાયે ડેરીને પાત્ર નથી તે પરદેશમાં મેકલાઈ રહી છે. બીજી બાજુ શેષિક અર્થવ્યવસ્થાના સમર્થકોની આંખ સ્ત્રી-સમાજ ઉપર મંડાઈ ચૂકી છે. દહેજની વકરતી જતી લાલસા અને પ્રથામાં આવી રહેલા ભયના ઓળા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સ્ત્રીઓને સ્વીકાર આર્થિક મૂલ્યાંકનની કસોટી ઉપર જ કરવામાં હવે ગૌરવ, ખાનદાની અને કુશાગ્ર બુદ્ધિપણું ગણાવા લાગ્યાં છે. કેવું હશે ભારતનું ભયાનક ભાવી?
ભગવાન જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org