SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય, ગંગા, ગાયત્રી (અથવા નવકારમંત્ર) અને ગીતા (અહીં ગીતાને અર્થ કોઈ પણ હિંદુ ધર્મગ્રંથ થાય છે) એ ચાર, હિંદુઓની આધ્યાત્મિક પ્રગતિના પાયા છે. તે જ પ્રમાણે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાના હિંદુ ધર્મના ચાર આદેશ, હિંદુ સમાજના ભૌતિક અને નૈતિક સમૃદ્ધિના પાયા ગણાયા છે. આધ્યાત્મિક અને ભૌતિક – બન્ને પ્રકારની પ્રગતિ માટેનાં બને પ્રકારનાં સાધન માં ગાય અગ્રસ્થાને છે એટલા પૂરતું એનું મહત્વ વધારે છે. બન્ને ક્ષેત્રે ગાય ન હોય તે બાકીના ત્રણે પાયા નિર્મળ થઈ નાશ પામે. જે સ્ત્રીનું મૂલ્યાંકન આર્થિક દષ્ટિથી જ કરાય તે હિંદુ સમાજમાં જેમ સ્ત્રીનું મૂલ્યાંકન તેના રૂપ અને તેની કમાણ કરવાની શક્તિ કે દાયજો લાવવાની ક્ષમતાના આધારે નથી થતું (કમનસીબે હવે મૂલ્યાંકનની દષ્ટિ બદલાવા લાગી છે.) તે જ પ્રમાણે ગાયનું મૂલ્યાંકન, તેની દૂધ દેવાની શક્તિના આધારે નથી થતું. જે સ્ત્રીનું મૂલ્યાંકન માત્ર આર્થિક દષ્ટિએ જ કરવામાં આવે તે ટૂંક સમયમાં જ સંસકૃત હિંદુ સમાજ નાશ પામી જાય અને તે અધમાધમ અસુરેનું ટોળું બની જાય. જે લેકે આજે ભારતની ગાયને અનર્થિક ગણાવીને એની કતલ કરવાની હિમાયત કરે છે. તેઓ તેમની આર્થિક માન્યતાના આધારે એમ કહી શકે કે “હિંદુઓની લગ્નવ્યવસ્થા એક અતિશય અનાર્થિક વ્યવસ્થા છે. શા માટે પુરુષએ આ લગ્નવ્યવસ્થાને બજ ઉપાડીને દર વર્ષે અબજો રૂપિયા એની ઉજવણીમાં ખર્ચવા જોઈએ? અને એ ખર્ચા પછી રજેરજને એ સ્ત્રીને ખવડાવવાનો, તેને કપડાં પહેરાવવાને, તે બાળકને જન્મ આપે તેની પ્રસૂતિને અને સંતાનેને પિષવાને ખર્ચને બે ઉપાડવો જોઈએ? જે એ બેજ ઉપાડવાને ન હોય તે આ અબજો રૂપિયાની મૂડીમાંથી અનેક યંત્રહોગે સ્થાપી શકાય. અનેક બેકારોને રોજી આપી શકાય અને હમણાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy