SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂખે મારવાની જવા તૈયાર જ છે. તમામ કપાસિયા પીલી નાખે. એટલે કપાસિયા ન મળવાથી ગાય અને ભેંસના દૂધમાં ઘીનું પ્રમાણ લગભગ નાબૂદ થઈ જશે. ખેળ, ભૂસું, ગુવાર વગેરેની નિકાસ કરી નાખે. થોડેઘણે માલ બચે તે મરઘાઓને ખવડાવી દે એટલે. ગાય અને ભેંસ દૂધ આપતી બંધ થશે. પછી તેમને માત્ર ઘાસ ખવડાવવાનું રહે. તે પણ પૂરતા પ્રમાણમાં મળે નહિ માટે ખરીફ પાકમાં તેના ચારાની ઊપજ ઉપર અંકુશ રાખવા માટે મગફળી,. અને શેરડીનાં વાવેતર વધારે ઉનાળામાં જ્યાં ખાસ હેરને ચારે જ ઉગાડાતે હોય, ત્યાં ઘઉંનાં વાવેતર કરી નાખે. પછી ઘાસચારે મળે જ નહિ. ગાયે ભૂખે મરી જાય તે દેષને ટોપલે તેના માલિક ઉપર, સરકારની એમાં કોઈ જ કસૂર નહિ!!! પરદેશી ડેરીઓનું જામી પડેલું સામ્રાજ્ય. - બસ, પછી પરદેશી ડેરીઓને ઘી-કેળાં થઈ ગયાં. હવે શુદ્ધ ઘીનું સ્થાન લેવા બટર ઓઈલ જે ખરેખર શું છે? આપણા માટે તે અખાદ્ય વસ્તુ છે કે નિર્દોષ ખાદ્ય વસ્તુ છે, તે આપણે જાણતા નથી. – અને દૂધનું સ્થાન લેવા દૂધના પાઉડરની સ્ટીમરે વગેરેના વિવિધ સહાયેના. નામે અનેક છૂપા હાંસલા આવી પહોંચશે. દુનિયાના સહુથી મોટા ગણાતા ભારતનાં અનાજ, દૂધ, ઘી, તેલ અને દવાનાં બજારો પરદેશી.. એના હાથમાં હેય પછી તેમને બીજું શું જોઈએ? પરાધીન ભારત કરતાં સ્વાધીન ભારતનું વિનાઓ અને વિના જોખમે વધુ વિશાળ પાયા ઉપર નિર્દય શેષણ કરવાના આ કેવા સરસ રસ્તા! પરદેશી ડેરીઓના અને ભારતીય મિત્રોએ શોધી કાઢેલા! આપણા ગોવંશને ખતમ કરવામાં તેમને ઊંડો રસ કેમ ન હોય? અને પરદેશીઓના નિકાસી માલની અહીં આયાત કરવામાં જેમનાં કમિશને રહેતાં હોય, તેઓ ગવંશ ખતમ કરવામાં વિવિધ ઉપાયે શોધી કાઢે એમાં આશ્ચર્ય પણ શું છે? છનિયાની બીજી વિશ્વડેરી પરિષદમાં એક ભારતવાસીએ દરખાસ્ત કરેલી કે અમારી પ્રજાની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy