SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજોએ ગાયની સામુદાયિક કતલ શરૂ કરીને અને કતલ થયેલી તમામ ગાયનાં ચામડાંની નિકાસ કરી નાખીને હરિજનને વંશપરંપરાને ધધ આંચકી લીધા અને તેમને બેકારી, ગરીબી, ગંદકી અને વ્યસનેની ખાઈમાં ધકેલી દીધા. તેમના આ મહાપાપના દોષને ટોપલે ચાલાકીથી સવર્ણોની આભડછેટની વ્યવસ્થા ઉપર ઓઢાડી દીધે. ગાંધીજી જેવા પણ એ જાળમાં ફસી જઈને હરિજનેની અધેગતિનાં મૂળ ગાયની કતલમાં રહેલાં છે એ સમજી શક્યા નહિ અને પેટે ચીલે ચઢીને પિતાનાં સમય-શક્તિ એવી રીતે વેડફી નાખ્યાં કે જેથી હરિજનેની આર્થિક અવદશા સુધરી નહિ. અંગ્રેજોના ગયા પછી કોંગ્રેસ સરકારે ગેહત્યાની નીતિ ચાલ રાખી, એટલું જ નહિ, એને વિસ્તારવા માટે જનાઓ પણ ઘડી અને ગેહત્યાના દેશને ટોપલે પ્રજા ઉપર એમ કહીને ઓઢાડી દીધે કે, “તમે ગેહત્યા બંધ કરવાની માગણી કરનારા જ ભેંસનું દૂધ પીએ છે. પછી તમને ગેહત્યા બંધ કરવાને શો અધિકાર છે? તમે સહુ ગાયનું જ દૂધ પીએ તે ગાયને કેણ મારશે ?” પ્રજા દૂધ પીએ શી રીતે? આવી દલીલેથી એ દેખાવ કરી દીધું કે જાણે ભારતમાં ' ગાયના દૂધનું બજાર નથી, અને લેકે ભેંસનું જ દૂધ પસંદ કરે છે. પણ ચીજવસ્તુની અછતના જમાનામાં લોકોને પસંદગી કરવાપણું રહેતું જ નથી. ઉપરાંત સરકારી કરભારણએ, ભ્રષ્ટાચાર, આર્થિક તેમ જ વેપાર-વાણિજ્યની નીતિઓ અને સહુથી ખરાબ તે રેઢિયાળ અન્નનીતિએ, લાયસન્સ, કટા. અને કટેલનીતિએ લેકેને એવા તે નિચાવી લીધા છે કે ઘણા મોટા ભાગના લેકે પાસે પીવા માટે દૂધ ખરીદવાના પૈસા જ કયાં છે? કે ચા બનાવવા માટે દૂધ ખરીદે છે પણ ગાયના દૂધ કરતાં ભેંસના દૂધની ચા સારી થાય છે અને તેમાં એછા દૂધને ખપ પડે છે, માટે જ ભેંસનું દૂધ ખરીદે છે. ભેંસના દૂધમાં સારા પ્રમાણમાં પાણીની ભેળસેળ થઈ શકે છે; માટે શહેરોમાં ઢોરના તબેલાવાળા ગાને બદલે ભેંસો રાખે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy