________________
દેશ (રાષ્ટ્રની ધરતી]ને આબાદ બનાવવાની ભયંકર ઘેલછાના કારણે ભારતના બુદ્ધિજીવી [દેશી અંગ્રેજ] લેકેએ પ્રજાના સાચા સુખ અને શાતિની કબર ખોદી નાખી છે. પ્રજાને હિતકર એવી મોક્ષપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃતિને ગળે ટૂંપ દઈ દીધું છે. ધરતીના જ હિતને ખાતર ઘડાયેલું બંધારણ ને પ્રજાના હિતમાં લક્ષપૂર્વક હજી પણ નહિ સુધારાય તે, આર્યાવર્તની મહા પ્રજાનું ભાવિ અતિ ભયાનક જણાય છે.
T
પાશ્ચાત્ય પદ્ધતિના શિક્ષણે માનવને સ્વાર્થાન્ય અને નાસ્તિક બનાવ્યું છે. ઈશ્વરપ્રીતિ અને પાપભીતિના પાઠો ગળથૂથીમાં જ હજી પણ નહિ આવે તે કેટલાક સ્વાર્થાન્ય એવા શિક્ષિત અને બુદ્ધિજીવી માને દેશનાં ચાવીરૂપ સ્થાને ઉપર ચઢી જઈને સમગ્ર પ્રજાને ભ્રષ્ટાચાર, અનાચાર અને માંસાહારની અગનજવાળાએમાં હજી વધુ ધકેલી મૂકશે.
આર્યાવર્તની ખુમારવન્તી પ્રજા! બિચારી! આજે પિતાના અસ્તિત્રને જંગ ખેલી રહી છે. વ્યક્તિત્વના નિર્માણની કથા તે જાણે હાસ્યાસ્પદ બની ચૂકી છે!
જે આમ જ ચાલશે તે કદાચ સંભવ છે કે, ઈ. સ. ૨૦૫૦ની સાલ સુધીમાં હિન્દુસ્તાન એક વિરાટ કબ્રસ્તાન બની જશે.
ચેતે! હજી પણ એ ભેલી જનાઓની ચાલબાજીમાં ફસાતા અટકે. “વિકાસ વગેરેના સુંવાળા આદર્શીવાળી યેજનાઓની રાખ નીચે ધરબાયેલા પ્રજાના સર્વનાશના જીવલેણ અંગારાઓને જોઈ લે.
એ ધર્મામાતા! હવે તે તારા જ તરફ સૌની મીટ મંડાયેલી L[ છે! ઉગારશે તે તું જ ઉગારશે! સિવાય કોઈ આરેવારે જણાતું નથી.
પં. ચન્દ્રશેખરવિજયજી
પુસ્તક-૧ નું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org