________________
h:
તાજા દૂધ અને શુદ્ધ ઘી, પૂરતા પ્રમાણમાં મળી શકતાં. પરંતુ એવા માણસો પણ હેય જે વૃદ્ધાવસ્થાને લીધે કે માંદગી અથવા બીજા કોઈ કારણે ગાયની ચાકરી કરવાને અશક્ત હોય અને ગાય ન રાખી શકે, આવા માણસને તેમના પડેશીઓ પાસેથી વિનામૂલ્ય દૂધ મળી શકતું.
ધણખૂટની વ્યવસ્થા ગામમાં ધણખુંટ હોય તેની ચરાવવાની જવાબદારી ગામના ગોવાળની અને દાણે આપવાની જવાબદારી ગામનાં મહાજનની હતી. શ્રીમંતની ગાયે માંદી પડે, વૃદ્ધ થાય, વસૂકી જાય તે પણ તેઓ તેમને પિતાનાં કુટુંબીજનની પેઠે સારવાર કરતા. પણ ગરીબ વર્ગને એ પરવડી શકે નહિ. ગામનાં મહાજન પાંજરાપોળે ચલાવતાં અને તેમાં ગરીબ વર્ગની વૃદ્ધ અશક્ત ગાયે સચવાતી.
ગાને વાછડા જન્મે તે ખેડૂતને મફત આપી દેતા અને -વાછડીઓ જન્મે તેને પાળતા અને મોટી થાય ત્યારે ગોદાન દેવામાં તેમને ઉપયોગ થતે.
પશુપાલકના વર્ગની જરૂરિયાત : દરેક કુટુંબ ગાય રાખતું. તેનાથી તેના કુટુંબની દૂધની જરૂરિ. -યાત અને બળતણની જરૂરિયાત પુરાતી. જે વધારે ગાયે રાખવાને સમર્થ હોય તે ઘીની જરૂરિયાત પણ પુરાઈ જતી. પણ દરેક કુટુંબ તે વધુ ગાયે રાખી શકે નહિ, એટલે પશુપાલકોને એક વર્ગ ઊભે કરવામાં આવ્યા હત; (તળપદી ભાષામાં તેઓ માલધારી તરીકે ઓળખાય છે) જે સેકડો-હજારે ગાય પાળતા. તેઓ એક જ ‘સ્થળે ભાગ્યે જ રહેતા. જ્યાં ઘાસ અને પાણીની વિપુલતા હોય ત્યાં તેઓ પડાવ નાખતા. થોડા દિવસ રહે અને વળી બીજે સ્થળે જાય. આમ તેઓ પોતાનાં પશુઓ લઈને ફરતા રહે. એક જ સ્થળે કદી રહે નહિ. તેઓ દૂધ ન વેચે; પણ દહીં, ઘી વગેરે વેચે અને વાછડાએ ઉછેરીને બળદ તરીકે કેળવીને વેચે. સારા વાછડા પસંદ કરીને તેમાંથી સારા ધણખૂટ બનાવીને પણ ગામનાં મહાજનેને જરૂર હોય ત્યારે આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org