SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ . ઉપર વધુ ને વધુ કર નાખવા પડે છે. એટલે વળી ઔદ્યોગિક ચીજવસ્તુઓના ભાવ વધે છે. આમ આ વિષચક વધુ ને વધુ મોટું થતું જાય છે. ભારતના કથળતા અર્થતંત્રને બચાવવાને ઉપાય: ડેરીઓનું વિસર્જન ગાયને કુટુંબના સભ્યપદેથી હડસેલી દઈને ડેરી ઉદ્યોગ વિકસાવવાના બહાના નીચે તેને Dairy animal બનાવી દેવાથી આપણા સમગ્ર અર્થતંત્ર ઉપર, સમાજવ્યવસ્થા ઉપર, ગ્રામ્ય વ્યવસ્થા ઉપર, પ્રજાના નૈતિક ધારણ ઉપર અતિ ગંભીર ફટકો પડયો છે. હવે આપણે વેળાસર ચેતીશું નહિ તે વધતા જતાં કરભારણ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના અજગરના ભરડાથી મુક્ત થવાની કોઈ શક્યતા નથી. % પશુઓના ખોરાકની ધૂમ નિકાસ 8 ગાયનું દૂધ પીવાની સલાહ આપતા મોરારજીભાઈ શાત ચિત્તે આટલું વિચારે જ પશુસંવર્ધન ખાતું અને પશુનિષ્ણાત ! - તમારાં અંગે કરોડો રૂપિયાનો ખર્ચ પ્રજાની પાયમાલી તે કરતો નથી ને? મોરારજીભાઈની સલાહ ૩૧મી ઑગસ્ટ, ૧૯૭૭ના રોજ દિલ્હીમાં ભરાયેલા કૃષિ ગે સેવા ' સંમેલનનું ઉદ્દઘાટન કરતાં માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈએ કહ્યું કે, ' “લેકેએ ગાયનું જ દૂધ પીવું જોઈએ, અને ગેસંવર્ધન કરવું જોઈએ. વધુ પૈસા ખર્ચીને પણ ગાયનું દૂધ જ પીવું જોઈએ.” - દૂધ પૈસાથી પેદા થાય છે? આ દેશની પ્રજાનું એ દુર્ભાગ્ય છે કે તેના દરેક વડાપ્રધાન ઉપર મુજબ જ લેકેને સલાહ આપતા આવ્યા છે, પણ આવડા વિશાળ દેશને વહીવટ કરવા બેઠેલાઓને એટલે ખ્યાલ હશે જ કે દૂધ પૈસા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy