SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ .. કેન્દ્રમાં એક વહેવારું અને સમજદાર પ્રધાનને રહેઠાણ ખાતું સેંપવામાં આવ્યું. તેમના કઈ જુના સાથીદારે તેમને સલાહ આપી કે પુરોગામીઓને પગલે ચાલવાને બદલે કઈ વહેવાર યોજના વિચારે. રહેઠાણની શહેરી સમસ્યા એક પ્રકારની છે, ગામડાંઓની જુદા પ્રકારની, એટલે એ બન્ને માટે જુદા પ્રકારની યેજના વિચારવી જોઈએ. પ્રધાનશ્રી સમજર હતા, એટલે તેમણે પિતાના ખાતામાં urban wing અને rural wing (રહેઠાણ ખાતાની શહેરી અને ગ્રામ્ય શાખા) એમ બે ભાગ પાડી નાખ્યા. એટલે પેલા સાથીદારે ફરીથી સૂચના કરી કે, ગામડાઓમાં સિમેન્ટનાં મકાનની જરૂર નથી. ગામડાંઓમાં હજારો વર્ષથી મોટા ભાગનાં લેકે ગાર-માટીનાં મકાનમાં રહે છે, માટે ત્યાં એવા પ્રકારનાં જ મકાન બાંધવાં જોઈએ. ત્યાં સિમેન્ટનાં મકાનની જરૂર પણ નથી, એ વહેવારુ પણ નથી અને આર્થિક રીતે પરવડે તેમ પણ નથી.” - પેલા પ્રધાનશ્રીએ એ કબૂલ કર્યું, પણ જણાવ્યું કે, “ગારમાટીના મકાને વધુ મજબૂત અને ટકાઉ બને તે માટે અમે પ્રગ કરીએ છીએ. એ પ્રયોગ સફળ થશે ત્યારે તેવાં મકાને બાંધીશું?” - પેલા સાથીદારે જણાવ્યું કે એ પ્રયોગ સફળ થાય ત્યારે તેમાં લેકેને વસાવજે, પણ અત્યારે જે લેકે ઉઘાડા આકાશ નીચે પડયા છે તેમને તે ગાર-માટીનાં મકાનોમાં વસાવે. તે પણ અફસોસ! તે માટે છાણ કયાંથી લાવવું? સંપૂર્ણ ગોવધબંધી ક્ય સિવાય છાણ મળે નહિ, અને સંપૂર્ણ ગે વધબંધી કરવાની કોઈ પ્રધાનની તાકાત નહિ. એટલે મેંથી ગમે તેવી સહાનુભૂતિ બતાવે છતાં વધની નીતિને ટેકો આપ્યા કરે, ટેકે ન આપે તે ખુરશી ગુમાવે. લેકને મકાન મળે નહિ, અને પિતે ખુરશી ગુમાવે તે કરતાં ચૂપ રહીને ચાલે તેમ ચાલવા દેવું અને સત્તા ચાલુ રાખવાનું જ કામ કરવું, ૧૩૦માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમે ગાતા હતા કે, “હમ મરેગે લડત લડતે, નહિ લડાઈ મરનેવાલે” પણ આજે જુદું જ બની ગયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy