SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ -રાષ્ટ્રીય આવકને સહુથી મોટો હિસ્સો આપતા પશુધન વિષે કશું જ કરી શક્યા નહિ. ત્રીસ વર્ષમાં ગાયની દૂધ દેવાની શક્તિ ઓછી થઈ ગઈ; શુદ્ધ ઘી અદશ્ય થઈ ગયું; જમીન ખેડવા માટે બળદની ઉગ્ર અછત થઈ, ખાતર, બળતણ માટે છાણ દુલભ બન્યું, ભેળસેળ થયેલા દૂધ, ઘીની અછત પણ થઈ અને ભાવે પણ આસમાને પહોંચા, અપષણનાં દરદ ફાટી નીકળ્યાં, કરડે બાળકો દૂધ વિના આંધળાં થવાના ભયમાં આવી પડ્યાં જંગલ સાફ થયાં, પાણી અને અનાજ- દુકાળ સામાન્ય થઈ પડયાં, પણ ખાતું એ બધી આફતે લાચારીથી -અથવા તે બેપરવાઈથી જોઈ રહ્યું. આ બધું કેમ બન્યું? એ ભૂલ પ્રધાનની છે કે ખાતાની એ -તપાસ કરવા માટે અદાલતની તપાસ નીમવી જ જોઈએ. કારણ કે -ત્રીસ-ત્રીસ વર્ષની કામગીરી પછી આ ખાતું પરદેશથી દૂધના પાઉડર અને બટર ઓઈલની આયાત વધારવાનું અટકાવી શકતું નથી. દેશે અબજો રૂપિયા આ ખાતાને એટલા માટે ફાળવ્યા છે કે દેશને ખાં -ઘી, દૂધ એઈએ તેટલા પ્રમાણમાં અને સસ્તા ભાવે મળી શકે. પણ તેને બદલે તે દર વર્ષે પરદેશી દૂધ અને બટર ઑઈલની આયાત વધતી જઈને તેને આંકડો હવે કદાચ અબજો રૂપિયા સુધી પહોંચી જાય છે. પર જ્યારે માનવતા મરી રહી છે. ત્યારે સાચા માટેની લડાઈ પણ મરી ચૂકી છે અને અફસોસ ! કે મરી ફીટવાના લલકાર કરનારાઓ ખુરશી ઉપર જામી બેઠા છે! # કોનામાં તાકાત છે; સાચી સંસ્કૃતિ પુન: સ્થાપવાની? રે! બધાને ખુરશીની મધલાળ? ગોહત્યાની નીતિનાં મૂળ એટલાં ઊંડાં છે કે પ્રધાને પણ એ મૂળ ઉખેડવા લાચાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy