________________
૮૨ | ધન્ય આ ધરતી
હજુ આજે પણ આપણને એમ કહેવામાં આવે છે કે અદ્યતન ટેક્નોલોજીથી ઉત્પાદન કરીને તેને પરદેશોમાં વેચીને આપણે આર્થિક પ્રગતિ સાધીશું. પરંતુ દીવા જેવું સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ટેક્નોલોજીની ટોચ પર બેઠેલાં ઔદ્યોગિક દેશો પણ ટકી શકતા નથી તો આપણે એ હરીફાઈમાં ટકીને તેમાંથી આપણા
૫ કરોડ લોકો સમૃદ્ધ થાય એટલો નફો કેવી રીતે કરી શકીએ ? બીજું કે આને સિદ્ધાંત તરીકે તો સાચું ઠેરવી જ ન શકાય, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારની હરીફાઈમાં દુનિયાના બધા દેશો તો એક્સાથે જીતી જ ન શકે. માત્ર દુનિયાની પાંચથી દસ ટકા વસતિ જ જીતી શકે અને તે બાકીની ૯૦ ટકા વસતિને ભોગે..
મહાત્મા ગાંધીએ તો સ્પષ્ટ ચેતવણી આપી હતી, “ઉદ્યોગીકરણનો પૂરેપૂરો આધાર તમારી લૂંટવાની શક્તિ પર, પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લાં હોવા પર અને હરીફોની ગેરહાજરી પર છે.” એમણે એ પણ બતાવ્યું હતું કે જેમજેમ આ પરિબળો નીચે પડશે અને સમય જતાં અનિવાર્યપણે પડશે જ તેમ યંત્રોદ્યોગવાળાં અર્થતંત્રોમાં બેકારી ખકાશે.
માત્ર પરદેશની મોટી કંપનીઓ એમનો માલ વેચીને આપણને લૂટે છે એમ નથી, આપણા દેશની પણ અદ્યતન યંત્રો વડે ગંજાવર ઉત્પાદન કરતી કંપનીઓ પણ આપણને લૂંટે છે. કારણ કે દરેકને જરૂરી રોજબરોજની વસ્તુઓ પણ – કાપડ, તેલ, ખાતર, રંગો, ચપ્પલો, દાતણ સુદ્ધાં – આ ગંજાવર કંપનીઓ આપણને વેચે એટલે આપણા કરોડો લોકોના અનેકવિધ ધંધા જાય અને બીજી બાજુ આપણી નાણાંની જરૂર વધતી જવાથી આપણે તેમના વધુ ને વધુ દબાણ નીચે રહેવું પડે.
આજે સહુ એમ માને છે કે યંત્રો તો હવે હમેશ માટે રહેવાના જ. કારણ કે એમને કારણે ઘણી જ થોડી સમયશક્તિ વાપરીને અઢળક ઉત્પાદન કરી શકાય છે. આ મોટી ગેરસમજ છે. તદન ખોટી વાત છે. કારણ કે યંત્રો વડે ઉત્પાદન કરવાથી યંત્રો અને વીજળીનું ખર્ચ, ફેકટરી-ફિફ્લો-મેનેજમેન્ટનું ખર્ચ, એ ઉત્પાદન અઢળક હોવાથી તેને વેચવા માટે દૂરનાં બજારોની શોધ તથા વાહનવ્યવહારનું ખર્ચ, દૂર સુધી વેચાણમાળખું ઊભું કરવાનું અને જાહેરખબરોનું ખર્ચ, આ બધાં માટે નાણાં ઊભાં કરવા બૅન્કો અને નાણાસંસ્થાઓનું ખર્ચ, આ બધાની નીતિઓ નક્કી કરવા માટે સરકારો અને અમલદારોનું ખર્ચ વગેરે અનેકવિધ ખર્ચ વધતાં જ રહે છે અને સરવાળે ઉત્પાદન પાછળ થતું કુલ ખર્ચ અનેકગણું થાય છે અને સમય પણ અનેકગણો વધારે વપરાય છે. અત્યારની વધતી જતી મોંઘવારી અને કારણે છે.
આની સામે સાદાં સાધનોથી નાના પ્રમાણમાં કમસે કમ રોજબરોજની જરૂરી ચીજો બનાવીને સ્થાનિક બજારમાં જ તે વેચીએ તો ઘણાં ઓછાં ખર્ચ અને સમય વપરાય. આ જાતના ઉત્પાદનને બળજબરીપૂર્વક કચડી નાખવામાં આવે – જેમ અંગ્રેજોએ આપણા વણકરોને ક્યડી નાખી આપણો કાપડ ઉદ્યોગ તોડી પાડ્યો હતો – તો જ યંત્રો વડે કરેલું ઉત્પાદન ચાલી શકે.
એટલું જ નહીં, મુખ્ય વાત તો એ છે કે આજે પણ જો સાદાં સાધનો વડે રોજિંદા વપરાશની વસ્તુઓ ઉત્પાદન કરીને તેને સ્થાનિક બજારમાં વેચવાનું શરૂ કરીએ તો તે અત્યારનાં યંત્રોથી બનાવેલા માલના બજારભાવ કરતાં ચોક્કસ અનેકગણી સસ્તી બને અને અનેકગણા ઓછા સમયમાં બને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org