________________
૩૧
બજેટનો બોજ
આવતી કાલે સરકાર બજેટ જાહેર કરશે. મોટા ભાગના લોકોને મન તો બજેટ અંગે એ જાણવાનું હોય છે કે એનાથી મોંધવારી કેટલી વધશે અને બીજી બાજુ પોતાની આવક ઉપર સરકારના કર કેટલા વધશે જેમની પાસે શેર હોય એમને પોતાના શેરના ભાવ વધશે કે ગગડશે એ જોવું હોય છે.
પરંતુ બજેટનો અર્થ તો આટલા કરતાં ઘણો વધારે કરવો જોઈએ. સરકાર બજેટ એટલા માટે બનાવે છે કે પોતે જે જે ખર્ચા કરે છે તેમને માટે પોતે પ્રજા પાસેથી આવક કેવી રીતે મેળવશે એ નક્કી કરે છે.
એટલે બજેટ. અંગે તો પ્રજાએ સરકારનો પૂરો હિસાબ કરવો જોઈએ. સરકાર શેના શેના પર ખર્ચ કરે છે? દરેક વસ્તુ પર કેટલા ખર્ચા કરે છે? શા માટે કરે છે તે તે વસ્તુ માટે એટલા ખર્ચા જરૂરી છે જે જે ખર્ચા થાય છે એ સામે પ્રજાને એનો લાભ મળે છે? સરકાર બરોબર વસ્તુઓ પર ખર્ચા કરે છે? એમાં બચત થઈ શકે? સરકાર પ્રજા પાસેથી જે પૈસા ફરજિયાત ઉઘરાવે છે તે બરોબર છે
ઉપરાંત મૂળ વાત તો એ છે કે સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે બરોબર કામ કરે છે? પ્રજાની સમસ્યાઓ હલ કરવા અને સમાજનો વિવિધલક્ષી વિકાસ સાધવા માટે સરકારને ખર્ચા કરવાના હોય છે. તો સરકાર એ હતુઓ પાર પાડે છે? એ માટે સરકારના ખર્ચા જરૂરી છે? સરકાર બજેટ દ્વારા પ્રજા પાસેથી જુદી જુદી રીતે પોતાને માટે આવક ભેગી કરે છે તે આ હેતુઓ પાર પાડવા માટે છે. તેથી બજેટમાં સરકારે આવક ભેગી કરવા ક્યા કરી નાખ્યા એટલું જ નથી જોવાનું પણ એ આવક શેને માટે ભેગી કરી અને એ હેતુઓ કેટલે અંશે પાર પડ્યા એ પહેલું જોવાનું છે. - તેથી સરકારને જે કામો સોંપાયેલાં છે તે કામો સરકાર બરોબર કરે છે કે નહીં તે તપાસવાની તક પ્રજાએ બજેટ સમયે લેવી જોઈએ. સરકાર પ્રજાની સમસ્યાઓ શા માટે હલ નથી કરતી એ તપાસવું જોઈએ. સરકાર પોતાનાં કામ બરોબર ન કરતી હોય તો વિરોધ પક્ષો કહેશે કે બીજી સરકાર લાવો તો તે પણ ઉકેલ નથી. કારણ કે પ્રશ્ન એ નથી કે આ પક્ષ સારો કે બીજો પક્ષ, પ્રશ્ન એ પણ છે કે ખુદ આખું જે સરકારી તંત્ર છે તે પ્રજાની સમસ્યાઓ હલા કરવા માટે ઉપયોગી છે ખરું? પ્રજા સરકારને ખર્ચા કરવા માટે જે પૈસા આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org