________________
ઔદ્યોગિક દેશોની સંપત્તિ લૂંટ છે / ૮૧
ગઈ છે. પહેલી વાર બેકારી ખડકાઈ છે. યુવાનોને કૉલેજ પાસ ર્યા પછી કામ નથી. એથી શિક્ષણ વગેરે પણ અપ્રસ્તુત બનતું જાય છે ત્યારે હવે એમને દેખાય છે કે ગંજાવર પાયે ઉત્પાદન કરવાથી ભયંકર બેકારી સર્જાય છે અને બેકારો સઘળું ગુમાવી બેસે છે.
હવે ત્યાંના વિદ્વાનો કબૂલ કરે છે કે અત્યાર સુધી અમારી મહાકાય કંપનીમ્બો એમનું ઉત્પાદન દૂર ત્રિખંડમાં ઠાલવતી હતી એટલે ત્યાં ગંજાવર બેકારી ફેલાતી હતી એનો અમને ખ્યાલ પણ નહોતો, કારણ કે એ બધું હજારો માઈલ દૂર, ક્ષિતિજની પેલે પાર, હતું. અમને તો અમારે ત્યાં સંપત્તિ ખડકાવાથી એ આર્થિક પ્રગતિની રીત લાગતી હતી.
એમણે ભેગી કરેલી સંપત્તિ કઈ રીતે લૂંટ હતી? એમણે યંત્રો બનાવી ગંજાવર પાયે ઉત્પાદન કર્યું જે એમના પોતાના દેશની જરૂરિયાત કરતાં તો અનેક્શણું વધારે હતું. આ ગંજાવર ઉત્પાદન એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો પર ઠોકી બેસાડવાનું શરૂ કરવા એમણે સામ-દામ-દંડ-ભેદની નીતિઓ અપનાવી. પોતાનો માલ આ ત્રિખંડોમાં વેચાય અને ત્યાંથી કાચો કુદરતી માલ મળે તે માટે ત્યાં આર્થિક તથા રાજકીય સત્તા જમાવી. તે દેશોમાં પોતાના પક્ષમાં રહે અને પોતાનું કામ કરે એવા દેશી મળતિયાઓ ઊભા ર્યા અને પોતાનું ઉત્પાદન વધારતા રહીને ત્રિખંડના દેશો પર ઠાલવ્યા કર્યું. દેખીતું છે કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના અબજો લોકાનું ખર્ચ દુનિયાના માત્ર ૧૦% વસતિ ધરાવતા આ દેશોમાં આવક તરીકે જાય અને આ પ્રક્રિયા સતત બબ્બે સૈકા સુધી ચાલુ રહે તો આ દેશોમાં કેટલી બધી અઢળક સંપત્તિના ઢગલા થાય ?
અને એક વખત અતિશય સંપત્તિ ભેગી થવા માંડે એટલે એ દેશ અને એ પ્રજા પૂજાવા માડે. ત્યાં આલીશાન ગગનચુંબી મકાનો, વિશાળ લાંબા ભવ્ય રસ્તા, સૂટ-બૂટમાં સજ્જ માણસો વગેરે વગેરેને કારણે એ દેશો સફળ ગણાવા માંડ્યા. એ જે ક્લે અને કરે એ બુદ્ધિપૂર્વકનું મનાવા માંડ્યું. એમની સતત લૂંટ દ્વારા કરેલી અતિશય કમાણીને કારણે એમને ત્યાં ભોગવિલાસની છાક્મછોળો ઊછળી, જ્યારે ત્રિખંડના દેશોમાં તો કરોડોની પ્રજા બેકારીને કારણે ગરીબાઈમાં ધકેલાઈ હતી અને એમને આજીવિકા માટે પણ રોક્ડ નાણાંની જરૂર ઊભી થઈ હોઈ ગુલામ બની હતી. ઔદ્યોગિક દેશોની દસ ટકાની વસતિની લૂંટી લાવેલી સંપત્તિ અને ચમકદમથી દુનિયા અંજાઈ. એ દેશોમાં જે થાય એ જ સારું અને સાચું અને દુનિયાના બીજા દેશોને પણ જો પ્રગતિ કરવી હોય તો એમનો રસ્તો અપનાવવો જોઈએ એમ મનાવા લાગ્યું. આપણે તો અક્કલ વગરની નકામી પ્રજાઓ
ગણાવા લાગ્યા.
ખાસ તો લૂંટને ‘આર્થિક પ્રગતિ'નું નામ અપાયું. એને પદ્ધતિસર સ્થાપવા અર્થશાસ્ત્ર નામનું નવું શાસ્ત્ર પણ રચાયું. છેલ્લેછેલ્લે તો સ્વિટ્ઝરલૅન્ડની બૅન્કોએ એને નોબેલ પારિતોષિકનો દરજ્જો પણ અપાવ્યો.
યંત્રોદ્યોગના દેશોના વિદ્વાનો તો આ પ્રમાણે અર્થશાસ્ત્રના અને આર્થિક ‘વિકાસ'ના સિદ્ધાંતો લખે એ સમજી શકાય. પરંતુ આપણા દેશના ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણી આવેલા અર્થશાસ્ત્રીઓ અહીં પણ એ સિદ્ધાંતો લાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org