________________
ખાદીના અસીમ લાભો / ૯ તો ગ્રામજનોને અત્યારે કાપડ અને બીજી જરૂરતો મેળવવા માટે જે મોટા પ્રમાણમાં રોકડ પૈસાની જરૂર પડે છે તે ઓછી થઈ જાય. અનાજ તો તેઓ ઉગાડે છે, ઝૂંપડું પણ બનાવી લે છે, પણ કાપડ તો અત્યારે બહારથી જ લાવવું પડે છે અને કુટુંબ મોટું હોવાથી કાપડ માટે મોટા પ્રમાણમાં પૈસાની જરૂર પડે છે જે અનિવાર્ય છે. આ પૈસા મેળવવા માટે નોકરી કે મજૂરી માટે અરજીઓ કરવી પડે છે, શોષણ-ગુલામી સહન કરવો પડે છે. જો ગામડામાં ખાદી બને તો ગ્રામજનો આમાંથી છૂટી શકે
એટલે જ્યાં સુધી ગામડામાં ખાદી નહીં બને ત્યાં સુધી ગ્રામજનોને મોટે પાયે અને સતત રોકડ પૈસાની જરૂર રહેવાની, તેથી એમને અત્યારના તંત્રમાં રોજી શોધવી પડવાની અને તેઓ અત્યારના તંત્રના ગુલામ રહેવાના.
તેથી તેઓ જો ખાદી બનાવવાનું શરૂ કરે તો અત્યારના ભ્રષ્ટ અને તેમને ગરીબ બનાવતા તંત્રમાંથી મુક્ત થઈ શકે. ગામડાં અત્યારે શહેર પર નિર્ભર છે એને બદલે સ્વતંત્ર અને સમૃદ્ધ થઈ શકે. પોતે બધો કાચો માલ પેદા કરતાં હોવા છતાં અત્યારે સરકાર કે પૈસાદારો સમક્ષ હાથ જોડીને ઊભા રહેવું પડે છે તેને બદલે પોતાના વિકાસનો દોર, પોતાના ભવિષ્યનો નિર્ણય પોતાના હાથમાં લઈ શકે. - આમ ખાદી દ્વારા ગ્રામસ્વરાજ્ય આવી શકે જેમાં સહુ સ્વતંત્ર, સ્વાભિમાની અને સમૃદ્ધ હોય. ખાદી અહિંસક સમાજ, રામરાજ્ય લાવી શકે.
આજે દુનિયાના બધા દેશોમાં શહેરો મોંઘવારી, બેકારી, ગુનાખોરી, પ્રદૂષણથી ઘેરાયેલાં છે, અત્યારનો આર્થિક વિકાસ ટકાવી શકાય એવો નથી. તો વિકલ્પનો રસ્તો લેવાનો, સમૃદ્ધ, સ્વતંત્ર, શાંતિમય ગામડાં સર્જવાનો ઉપાય ખાદી છે, એટલે જ દુનિયા ગાંધીજી તરફ વળી રહી છે.
ભારતે તો જ્યારે ખાદી છોડી, એટલે કે સાદો રેંટિયો છોડ્યો ત્યારે ભારતીય માનવતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલાઓ-વિજ્ઞાન અને ભારતીય સમૃદ્ધિ છોડી છે; અને ભારતના કરોડો પ્રજાજનો બેકારી, ગરીબાઈ, ગુલામીમાં ધકેલાયાં છે. - એટલે જ્યારે વિદેશી કાપડની હોળી થઈ અને ગાંધીજીને કોઈએ પૂછ્યું કે કાપડ જેવી ઉપયોગી વસ્તુ શા માટે બાળી નાખવી ત્યારે ગાંધીજીએ અત્યંત માર્મિક જવાબ આપ્યો હતો. કપડે કો નહીં, મેં અપને દિલ ઔર દિમાગ કી કમજોરીઓ કો જલા રહા હું, મેં અપની શર્મ કો જલા રહા હું
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org