________________
૨૭
અય વતન તેરે લિયે
-
-
વીજાપુર જવાનું હતું એના ચાર દિવસ પહેલાં ફોન આવ્યો. હું સંય ભાવસાર.” કેમ છે? ક્યાંથી બોલો છો?” “અમદાવાદ આવ્યો છું. તમે વિજાપુર આવવાના છો એમ ત્યાં સાંભળ્યું. તો ત્યાંથી પેઢામલી પણ આવો. વિજાપુરથી ઘણું જ પાસે છે.” સંજય અને એનાં પત્ની તુલા લગ્ન પછી નાની જ ઉમરે એક નાનકડા, આર્થિક પછાત ગામ પેઢામલીમાં જઈને વસ્યાં છે અને ત્યાં સામાજિક કામો કરે છે. મને એમની આ ભાવના અને એને અમલમાં મૂક્વાની એમની સંકલ્પશક્તિ માટે એટલો આદર છે કે મેં આભારપૂર્વક હા પાડી.
વિજાપુરમાં કામ પતાવતાં ઘણું મોડું થઈ ગયું અને પેઢામલી પહોંચ્યા ત્યારે તો અંધારું થઈ ગયું હતું. છતાં ખેતરોમાં કામ કરતા લોકો તો સાંજ પડ્યે જ ઘેર પાછા ફરે છે એટલે એમને મળવા માટેનો વખત તો મોડી સાંજનો જ હોય છે. રાતે થોડા લોકો ગામના મંદિરમાં ભેગા થયા. સંજયના સાથી કૌશિકે ગામમાં સંદેશો આપેલો કે એક બહેન આવ્યાં છે તે કાપડ બનાવતાં શીખવે છે. કાપડ બનાવવાની વાતમાં ગામડાના ઘણા લોકોનો રસ પડે છે. બીજા એક ગામડામાં હું ગઈ હતી ત્યાં તો કાપડ બનાવવાની વાત સાંભળી કેટલાક લોકો ઊંઘમાંથી ઊઠીને પણ જાણકારી મેળવવા આવ્યા હતા. પેઢામલીમાં કેવી રીતે કાપડ બનાવાય, ખર્ચ તદ્દન ઓછું આવે અને કાપડ સહેલાઈથી વેચી શકાય એ બધી વાતો કરી. થોડાક ભાઈઓએ અને બહેનોએ લાકડી રેંટિયો ચલાવી જોયો.
બીજે દિવસે વહેલી સવારે હું નીકળી ત્યારે સંજયે એક વાત કરી. કે પેઢામલી ગામ કાપડ છાપવા માટે ઘણું જ પ્રખ્યાત હતું. સાબરમતીને કિનારે હોવાથી વહેતા પાણીમાં કાપડ રંગીને બોળવાથી રંગો સુંદર નીખરી ઊઠતા. ત્યાં હજુ પણ નદી કિનારે કાપડ રંગવાના ઘાટ છે. પેઢામલીના છાપકામના કલાત્મક બુટ્ટા બહુ વખણાતા. થોડાકેક બુટ્ટા એણે મને બતાવ્યા. પરંતુ હવે પેઢામલીમાં કાપડ છાપવાનું બંધ પડી ગયું છે.
- મેં પૂછ્યું કે જો આટલું સુંદર છાપકામ અહીં થતું હતું તો એને પુર્નજીવિત કરી ન શકાય ? લોકો કાપડ બનાવે એ જો સુંદર રંગો અને ભાતવાળું બને તો લોકોને એ બનાવવાનો ઉત્સાહ વધે અને બીજાઓને પણ એ કાપડ લેવાનું વધારે ગમે.
સંજયે મને એક ભાઈનું નામ અને સરનામું આપ્યું. વિઠ્ઠલભાઈ. અત્યારે
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org