________________
૭૦ | ધન્ય આ ધરતી
શકશે અને સાચા અર્થમાં પ્રજાને નેતાગીરી પૂરી પાડી શકશે કે જે દેશનાં લાખો ગામડાંઓમાં રેંટિયા-સાળ શરૂ કરશે. જે નેતા ગામડે ગામડે સ્થાનિક ધોરણે કાપડ અને તે પાછળ બીજા સ્થાનિક ઉદ્યોગો શરૂ કરીને ભારતનાં હજારો ગામડાંમાં શક્તિનો પુન:સંચાર કરશે તે જ દેશને બચાવી ને સમૃદ્ધ કરી શકશે.
આપણો દેશ જે શા માટે, દુનિયાભરના દેશો માટે પોતાની અત્યારની કટોકટીમાંથી બહાર નીકળવાનો અને વિકાસ કરવાનો એ જ માર્ગ છે કે પોતાને ત્યાં ગામડે ગામડે કાપડ ઉદ્યોગ પુનર્જીવિત કરવો, સ્થાનિક બજાર માટે, રેંટિયા-સાળ દ્વારા. હમણાં થોડા મહિના ઉપર જ યુરોપમાં એક નવી સંસ્થા શરૂ થઈ છે: મહાત્મા એમ. કે. ગાંધી ઈન્સિટટ્યુટ. એના હેતુઓ વિશેની પત્રિકામાં પહેલું જ વાક્ય એ છે કે ગાંધીજીનો સંદેશ જોઈ દેશની સરહદોની અંદર, સીમિત નથી. દુનિયા આખી માટે તે જરૂરી છે.
દુનિયાને આર્થિક અને તેમાંથી પરિણમતી નૈતિક કટોકટીમાંથી બચાવવા માટે તે જરૂરી છે.
ગાંધીજીની રેંટિયાની તથા તે દ્વારા ગ્રામસ્વરાજ અમલમાં મેળવવાની વાત વ્યવહાર છે એટલું જ નહીં, તબદ્ધ છે. અર્થશાસ્ત્રનો પહેલો નિયમ જ એ છે કે લોકોની મહત્તમ સુખાકારી માટે જરૂરી છેસમાજમાં વધુમાં વધુ રોજગારી. રેંટિયા દ્વારા ગામડે ગામડે કાપડ તથા તેની પાછળ સ્થાનિક બજાર માટે બીજા ઉદ્યોગો શરૂ થાય તો જ એ મળી શકે. અત્યારનું અર્થતંત્ર તો બેકારી વધારતું જાય છે.
દુનિયા ગાંધીજીની હંમેશા ઝણી એટલા માટે રહેશે કે ૧૮ર્મી સદીને અંતે શરૂ થયેલી યંત્રોદ્યોગની અંતિએ વિદેશમાં બજારો મેળવવા દુનિયાભરમાં પ્રસરીને ગામડાંઓના કાપડ ઉદ્યોગનો રાજકીય દબાણો લાવીને નાશ કર્યો અને એની પાછળ કાળક્રમે ગામડાંના બીજા ઉદ્યોગો પણ નાશ પામ્યા, અને દુનિયાની અડધા ઉપરાંતની વસ્તી બેકારીમાં અને પરિણામે ગરીબાઈમાં અને ગુલામીમાં ધકેલાઈ, ત્યારે ૨૦મી સદીમાં ભારતમાં ગાંધીજીએ રેંટિયાને પુનઃજીવિત ક્ય, એ દ્વારા સ્વતંત્ર-સ્વાયત્ત ગામડાં ફરીથી ઊભાં થઈ શકે એ આશા આપી પ્રજા પોતાની નાશ થયેલી વિરાટ શક્તિ પાછી મેળવી શકે એ દાખલો બતાવ્યો.
માણસજાત શહેરોમાં નહીં પણ લાખો ગામડાંઓમાં સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકે. અને આ ભવિખ્ય રેંટિયા-સાળ શરૂ કરીને ગામડાંમાં સ્થાનિક ઉદ્યોગો ઊભા કરીને સર્જી શકાય એ નક્કર દાખલો ગાંધીજીએ બેસાડ્યો, એ માટે તેમની આજે દુનિયાને ઘણી જરૂર છે.
એથી જ્યારે એમ પ્રશ્નો ઉઠાવાય છે કે ગાંધીજીએ તો રેંટિયા સિવાય બીજી પણ વાતો કહેલી છે અને આજના સમયમાં તો એમણે રેંટિયાને છોડી દીધો હોત ત્યારે એ રજૂઆત જરૂરી બને છે કે ગાંધીજીની પ્રસ્તુતતા જ રેંટિયાને કારણે છે.
એટલું જ નહીં, જેઓ રેંટિયાની વાત બાજુએ રાખીને ગાંધીજીની વાત કરે છે તેઓ આજની દુનિયાને ગાંધીજીએ જે અમૂલ્ય દાખલો આપવાનો છે તેનાથી જ વંચિત રાખે છે અને એથી ગાંધીજીના યોગદાનને જ દબાવી દે છે.
પ્રકાશ અને ઉષ્મા માટે સૂરજની જરૂર છે અને એમ જ સુખી અને સ્વતંત્ર ગામડાં માટે ગાંધીજીની અને એમના રેટિયાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org