________________
૨૬
સૂરજ અને પ્રકાશ
હમણાં એક સભામાં પ્રશ્ન ઉઠાવાયો હતો: ગાંધીજી એટલે રેંટિયો જે માણસે પોતાના જન્મદિવસને રિંટિયા બારશનું નામ આપ્યું, એમ કહીને કે મારો નહીં પણ કરવો જ હોય તો રેંટિયાનો મહિમા કરો, એમને વિશે આવો પ્રશ્ન હોઈ શકે ગાંધીજી અને રેંટિયો તો સૂરજ અને પ્રકાશની જેમ જોડાયેલાં છે. ગાંધીજીમાંથી જે રેંટિયો કાઢી લઈએ તો બાકી શું રહે છેગાંધીજીએ તો કહ્યું છે કે એમનો એક જ સંદેશ છે અને તે રેંટિયો છે, કારણ કે એમના બીજા બધા સંદેશ રેંટિયામાંથી નીકળે છે.
પરંતુ આ સવાલ ઘણા જણ એટલા માટે ઉઠાવે છે કે એમને ગાંધીજીને માન આપવું છે પરંતુ સાથે શહેરી જીવન, યંત્ર-સંસ્કૃતિ, વિદેશ વેપાર અને અત્યારના અર્થતંત્રને પણ વળગી રહેવું છે. એટલે એમને રેટિયા વગરના ગાંધીજી જોઈએ છે. તેઓ એમ પણ દલીલ કરે છે કે ગાંધીજી તો બદલાતા જતા હતા અને અત્યારે તે હોત તો તેમણે રેંટિયો છોડી દીધો હોત.
આ કારણે એ વાત પર ભાર મૂકવો જરૂરી બને છે કે ગાંધીજી જે મહાન કાર્ય કરી શક્યા તે રેંટિયાને કારણે કરી શક્યા હતા. રેંટિયાને કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી ઓરિસા ભારતનાં હજારો ગામડાંમાં ગુંજતો કરીને એમણે પ્રજાની સુષમ પણ વિરાટ શક્તિને જગાડી અને સૂતરને તાંતણે અંગ્રેજ હકૂમતને હટાવી. એમણે કહ્યું હતું કે આપણે તલવારથી નહીં પણ રેંટિયાથી વિજય મેળવવાનો છે. ' ઉપરાંત ગાંધીજીએ જે ગુણો શીખવ્યા – અહિંસા, સત્ય, સર્વોદય અને બીજા – એ ગુણોનો તો આપણા દેશમાં તેમ જ બીજા દેશમાં ઘણા સંતોએ મહિમા કર્યો છે. પરંતુ ગાંધીજીએ જે નવું કર્યું તે એ કે રેંટિયા તથા તેની અર્થવ્યવસ્થા દ્વારા તેઓ આ ગુણોને સામાજિક વ્યવહારમાં લાવ્યા. આજે દુનિયા ગાંધીજીને બિરદાવે છે તે આ કારણે કે તેમણે આ સદ્ગણોને દેશની સામાજિક અને આર્થિક વ્યવસ્થામાં ઉતાર્યા.
સંસ્કૃતમાં જે સુભાષિત છે કે કમળથી સરોવર અને સરોવરથી કમળ શોભે છે એ ભાષા વાપરીને કહી શકાય કે ગાંધીજીથી રેંટિયાને અને રેંટિયાથી ગાંધીજીને વિરાટ શક્તિ મળી હતી. ' આ વાત બીજા સંદર્ભમાં પણ દેખાય છે. આપણા દેશના બીજા જે રાષ્ટ્રીય નેતાઓ હતા, તેમાંનાં ઘણા ખૂબ લોકપ્રિય હતા છતાં તેઓ ગાંધીજીના જેવું રાષ્ટ્રનું કામ કરી શક્યા નહીં કારણ કે તેમણે દેશભરમાં, ગામડે ગામડે, રેંટિયાને | (સાદો રેંટિયાને, અંબર ચરખો નહીં) ગુંજતો ક્યો નહીં. તેથી તેઓ રાષ્ટ્રની સમસ્યાઓ
ઉકલી શક્યા નહીં. આ કારણે ગાંધીજી અને બીજા રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે ઘણો ફરક પડી જાય છે.
એટલું જ નહીં, હવે પછી પણ એ જ રાષ્ટ્રીય નેતા દેશના પ્રશ્નો ઉકેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org