________________
૬૮ | ધન્ય આ ધરતી
લાચારીમાંથી છોડાવવાનું છે. ગુલામીમાંથી મુક્ત કરવાનું છે. પરંતુ આજે આપણા દેશોમાં તો ખાદી એટલે ખાદીકામ કરાવતી સંસ્થાઓ દ્વારા ગામડામાં ગરીબોને અંબરચરખો ધીરીને મજૂરી આપવાની વસ્તુ એ જ વિચાર બધે ઘર કરી ગયો છે. એટલે ખાદીનો આજે મુખ્ય અને વિરાટ ઉપયોગ છે એ ભૂંસાઈ ગયો છે. પછી ગાંધીજીનો સંદેશ શી રીતે સમજાય?
ગ્રામોદ્યોગો એટલે પણ ખાદીના સાટામાં પૈસાને બદલે વસ્તુ આપવા બીજા ગ્રામજનો જે ધંધો શરૂ કરે છે. અત્યારે ખાદી કમિશન ઝૂંપડાંમાં લોકોને મજૂરી આપીને, દાખલા તરીકે, અગરબત્તીઓ બનાવે છે એ કોઈ ગ્રામોદ્યોગ નથી. ગ્રામોદ્યોગ તો ખાદી પાછળ આપોઆપ જ શરૂ થાય, મુખ્યત્વે બે કારણે : એક તો ગામડામાં જ રૂમાંથી કાપડ બને તો તે બજારના કાપડ કરતાં ઘણું જ સસ્તું પડે, એટલે બાકીના લોકો તે માગે. બીજું આ કાપડ સ્થાનિક બનતું હોવાથી બાકીના લોકો એની કિંમત પૈસાને બદલે વસ્તુ કે સેવા આપીને ચૂકવી શકે. આ કારણોસર બાકીના લોકોના બીજા ધંધા શરૂ થાય – એ ગ્રામોદ્યોગો છે. આ ગ્રામોદ્યોગમાં સાદાં સાધનોથી પણ પ્રતિદિન ઘણું ઉત્પાદન કરી શકાય. પરંતુ તે ત્યારે જ શરૂ થાય જ્યારે ગ્રામજનો અત્યારે ૫ડાં પાછળ જે અઢળક પૈસા ખર્ચે છે તેમાંથી છૂટી પોતાને ત્યાં સસ્તુ-સુંદર કાપડ–ખાદી–બનાવે.. આ કૌતુની બીજી વાત એ છે કે એક તો સરકાર પોતે જ કાપડની મિલોની આવક ઉપર ચાલે છે અને એ સરકારની એક સૂક્ષ્મ ગ્રાન્ટ ઉપર ખાદી કમિશનની સંસ્થાઓ ચાલે છે. એ કેટલો બધો વિરોધાભાસ છે. અંગ્રેજોની કદી અસ્ત ન પામતી સરકાર ખસેડીને ખાદી દ્વારા “સૂતરને તાંતણે સ્વરાજ' લાવવાની ગાંધીજીની વાત અત્યારે આપણા દેશમાં થઈ રહેલી ખાદી પ્રવૃત્તિ ઉપરથી કેવી રીતે સમજાઈ શકે?
ઉપરોત હકીક્તો છતાં વર્ષોથી આપણા દેશમાં ગાંધીજીમાં શ્રદ્ધા ધરાવનાર વર્ગ ખાદીભંડારમાંથી ખાદી લાવીને તે પહેરીને પોતે ગાંધીજીના આદર્શોને અનુસરે છે તેમ માને છે. આ કારણે આપણા સમાજમાં ગાંધીજીને અંગે દીર્ઘકાલીને અને જબરદસ્ત ગેરસમજણ ઊભી થઈ છે.
વિધિની કેવી વકતા છે કે ગાંધીજીની પાછળ સમગ્ર દેશ હતો, અસંખ્ય માણસોએ ગાંધીજીના આદર્શો-આદેશો પ્રમાણે જીવવામાં જીવનની ક્વાર્થતા માની હતી અને છતાં એક જણે પણ ખાદીઉદ્યોગ અને એની પાછળના બીજા ગ્રામોદ્યોગો દ્વારા ગ્રામસ્વરાજ લાવવાનું, ગામડાને સ્વતંત્ર અને સમૃદ્ધ બનાવવાનું ક્યું નહીં - જે ગાંધીજીના જીવનનું, વિચારનું, સંદેશનું કેન્દ્ર છે. ગાંધીજીમાંથી ખાદી દ્વારા ગ્રામસ્વરાજની વાત કાઢી લઈએ તો બાકી શું રહે એમણે પોતે કહ્યું છે કે એમનો એક જ સંદેશ છે અને તે ખાદી છે. દારૂબંધી, હિંદુ-મુસ્લિમ એક્તા, અસ્પૃશ્યતા નિવારણ, પાયાની કેળવણી વગેરે બધા સંદેશો આ ખાર્દીિના સંદેશમાંથી નીકળે છે.
પરંતુ આજે આપણને આ સંદેશ જલદી દેખાતો નથી કારણ કે આપણી દષ્ટિ આડે ખાદીધારીઓ, ખાદીભંડારો, ખાદી ગ્રામોદ્યોગ કમિશન, ખાદીકામ કરતી સંસ્થાઓ વગેરે પડદાઓ આવી ગયા છે. આ વર્ષે ગાંધીજીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ઘણી સંસ્થાઓ ઉજવણીઓ કરશે, પ્રવચનો-સેમિનારો યોજાશે, પરંતુ ખાદી દ્વારા ગ્રામસ્વરાજ-સમૃદ્ધિની વાત સુદ્ધાં પણ નહીં થાય !!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org