________________
ગાંધીજીની વાત કેમ ભૂંસાઈ ગઈ છે? / ૬૭
મુશ્કેલીઓ છે?
આપણે ત્યાં ખાદી સરકારઆશ્રિત અને નાણાઆશ્રિત કરી દીધી છે. એટલે ખાદીનો જે મુખ્ય હેતુ કાંતનારાને અને વણનારાને શાસનમાંથી અને નાણાભંડોળમાંથી મુક્તિ અપાવવાનો છે એ ભૂંસાઈ ગયો છે.
આપણે એમ માની લીધું કે અંગ્રેજો ગયા એટલે સ્વતંત્રતા મળી ગઈ અને ગાંધીજીની વાત સિદ્ધ થઈ ગઈ એટલે આપણે આજના શહેરોના અને મોટા પાયાના ઉદ્યોગોના માળખામાં ગાંધીજીની વાતને બંધબેસાડવા માગીએ છીએ. પરંતુ ગાંધીજીની વાત તો ગ્રામસ્વરાજની વાત છે. એમણે સ્પષ્ટ હેલું છે કે શહેરોમાં લાખો માણસો એકબીજા સાથે શાંતિથી રહી જ ન શકે, તો તેમને જૂ અને હિંસાનો આશરો લેવો જ પડે. ( હિંદું સ્વરાજ પૃ. ૯૪). એમના આદર્શો સત્ય અને અહિંસા ગ્રામજીવનમાં જ શક્ય છે, અને તે ગામડાં એટલે હાલનાં મડદાલ ગામડાં નહીં પણ સ્વતંત્ર, સમૃદ્ધ, સ્વાશ્રયી, સ્વાભિમાની ગામડાં, જે મૂળ તો આપણી ભારતીય સંસ્કૃતિનાં જ અંગ છે.
પરંતુ અંગ્રેજોના ગયા બાદ પણ ભારતની સરકારે પણ મોટા પાયાના ઉદ્યોગો શરૂ ર્યા. ગાંધીજીના મૃત્યુ બાદ ખાદી-ગ્રામોદ્યોગ કમિશન સ્થાપ્યું જેણે ગાંધીજીની ખાદી દ્વારા ગ્રામસ્વરાજની વાત વિસારે જ પાડી દીધી. ગ્રામજનોને જો ખાદી બનાવી આર્થિક લાભ મેળવવો હોય તો રૂ, પીંજણ, કાંતણ, વણાટ, રંગ, છપાઈ, જરૂરી સાધનોની બનાવટ તેમ જ કાપડનું વેચાણ વગેરે ધંધા પોતાને ત્યાં કરે તો તેમાં વ્યવસ્થા-વાહનવ્યવહાર-વેચાણના ઊંચા ખર્ચા દૂર થવાથી ઉત્પાદનમાં ઘણો લાભ થાય. પરંતુ અત્યારે ખાદી કમિશનની સંસ્થાઓમાં આ બધાં કામો જુાંજુદાં ગામડાં તથા શહેરોમાં થાય છે એટલે ખાદી દ્વારા ગ્રામજનો સ્વતંત્રતા અને સમૃદ્ધિ મેળવી શકે એ વાત જ બહાર આવતી નથી. ઊલટું કાંતનારા અને વણનારા ખાદીકામ કરાવતી સંસ્થાઓ ઉપર સંપૂર્ણ અને સતત આશ્રિત બને છે અને જે રોજી મળે તે લેવા લાચાર બને છે. ઉપરાંત ગામડાંમાં ખાદી બનાવી એને શહેરોમાં વેચવાનો ગાંધીજીએ એમનાં પાછલાં વર્ષોમાં સખત વિરોધ કર્યો હતો. અત્યારે ખાદી સંસ્થાઓ શહેરોના ખાદીભંડારોમાં ખાદી વેચે છે એને કારણે ખાદી અંગેની ગાંધીજીની જે મૂળ અને મુખ્ય વાત છે તે ભૂંસાઈ જાય છે.
ન
ઉપરાંત ખાદી કમિશનની સંસ્થાઓનો ગામડાંમાં અંબરચરખા મોલી ત્યાં કાંતણકામ અને વણાટકામ કરાવી તે ગ્રામજનોને મજૂરીના પૈસા આપીને રોજી પૂરી પાડવાનો હેતુ પોતે જ યોગ્ય નથી. એમ તો દાખલા તરીકે, પૈસાની લાચારીને ખાતર હોટેલમાં નૃત્ય કરતી ગરીબ છોકરીને પણ પૈસા મળે છે પરંતુ ગરીબ લોકોને પૈસા મળે એ માટે આપણે આવી પ્રવૃત્તિઓને ધ્યેય ન બનાવીએ. ઊલટાનું ખાદીઉદ્યોગનું તો મુખ્ય ધ્યેય ગરીબ ગ્રામજનોને અત્યારે પૈસા કમાવાની જે લાચારી છે એ લાચારીમાંથી છોડાવવાનું છે અને એ લાચારીમાંથી છોડાવી શકે એ માત્ર ખાદીઉદ્યોગ જ છે. કારણ કે અત્યારે એમને પૈસાની મોટામાં મોટી અને અનિવાર્ય જરૂર કાપડ ખરીદા માટે છે. ખાદીઉદ્યોગનું કામ તેમને એ રસ્તો બતાવવાનું છે કે આ કાપડ તેઓ જાતે જ વગર પૈસે બનાવી શકે. ખાદીનું કામ એમને અત્યારે પૈસા માટે નોકરી કે મજૂરી મેળવવા હાથ જોડીને ઊભા રહેવું પડે છે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org