________________
‘ગાંધીને પગલે તું ચાલીશ કે ગુજરાત ?' / ૬૩
વાત કરીએ અને કાપડ બનાવવાનું શરૂ કરીએ.
મેં અમદાવાદ જિલ્લાનાં આવાં ગામડાંનાં નામ મેળવીને જિલ્લાના નક્શામાં એમને શોધીને ત્યાં જવાનું ગોઠવ્યું.
આવાં ચાર ગામડાંમાં જઈને ત્યાં વણકરોને મળી તો દરેક જગાએ વણકરોને ગામમાં જ બનતા સૂતરમાંથી ત્યાંના લોકોને ગમે એવું કાપડ ત્યાંના બજાર માટે બનાવવાની વાત ગમી ગઈ.
તો હવે આ કેવી રીતે દૂર કરીશું? વણકરોનાં ગામો તો દૂરદૂર છે. ત્યાં સુતર બનાવવા માટે કાંતવાનું શીખવવાનું તો સહેલું છે પણ પહેલાં તો ત્યાં રેંટિયા બનાવવા પડશે. રૂ પણ પીંજવું પડશે અને એ માટે એક ઝૂલતી પીંજણ બનાવવી જોઈશે. રંગો બનાવવાનું અને છાપવાનું પણ શીખવવું જોઈશે.
આ બધું સાથે એક જ ગામડામાં ભેગું થાય તો ત્યાં લોકો કાપડ બનાવી શકે અને તો એ કાપડ ઘણું સસ્તું બની શકે.
તો
આ બધું શીખવવા જુદા જુદા શિક્ષકો ત્યાં જાય એને બદલે એમ કરીએ કે જે યુવકોને રચનાત્મક નક્કર કામ કરવામાં રસ છે તેમને રૂ ઉગાડવાથી માંડીને કાપડ છાપવા સુધીનાં બધાં કામો શિખવાડીએ. પછી એક જ જણ ગામડામાં જઈને ત્યાં એ બધાં કામો શિખવાડી શકે.
સાબરમતી પરના આશ્રમમાં ગાંધીજીએ તેમના ઘરની બાજુમાં જ એક મકાન બનાવેલું છે તેનું નામ ખાદી તાલીમ કેન્દ્ર હતું.
તો આ માટે જુદા જુદા જાણકાર શિક્ષકોને ભેગા કરીએ. ખાડાસાળ પર વણાટકામ શિખવાડવા ગામડેથી વણકર બોલાવીએ.
એ પહેલાં એક બીજું કામ કરીએ. કાપડ બનાવવાનાં બધાં કામોમાં વણાટકામ અને રેંટિયા-સાળ-પીંજણ બનાવવાનું સુથારીકામ એ ખાસ જાણકારી માગી લે છે. તો એક સુથારને બોલાવીએ અને એને કાંતતાં અને પીંજતાં પણ શીખવીએ. એટલે એ સાદો લાકડી રેંટિયો અને ઝૂલતી પીંજણ બનાવવાનું તેમ જ તે ચલાવવાનું પણ શીખવી શકે. એ સુથાર જે ગામડામાં બેકાર વણકર છે ત્યાં જઈને ગ્રામજનોને રેંટિયા બનાવતાં તથા કાંતતાં શીખવે અને એક પીંજારો તૈયાર કરે. તો ત્યાં કાપડ બનાવવાનું શરૂ થઈ શકે. ગવા-છાપવાનું તો સહેલું છે, કાપડ બને એટલે એ તો ત્યાં તરત એ શીખવી શકાશે.
હીરાભાઈ મિસ્ત્રીનો સંપર્ક કરું છું. આ કાપડ જ સાચી ખાદી છે. એ તો ગાંધીજીના એટલા ભક્ત છે કે આ કામ તો ખૂબ ઉમંગથી કરશે.
ઉમંગ અને પ્રેમથી ગ્રામજનો સાથે કાપડ બનાવવા માટે આજે તો ગાંધીજયંતીનો મંગળ દિવસ છે. તને પેલી પંક્તિઓ ગમેલી ને? કવિ ઉમાશંકરે એક્વાર એ કહેલી. હમણાં તેં જે કહ્યું એ એમણે સુંદર શબ્દોમાં મૂકેલું છે :
“જન્મસ્થાન તમારું તે ન કોઈ નગરે ગૃહે,
મૃદુ માનવહૈયું તે જન્મસ્થાન તમારું છે.’
ચેતન કહે, મને પણ એમની બીજી પંક્તિઓ યાદ આવે છે આજના શુભ દિવસે ગાંધીજીને અંજલિ આપવા :
‘પિતા છો દિવ્યત્ક્રાંતિના, અધ્વર્યુ નવયુગના, ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા. બંધુ છો સૌ ગુલામોના, દેવ છો દુખિયાં તણા, આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org