________________
૨૪
ગાંધીજયંતી ઉજવાશે ?
સુનિલ : જુઓ, જુઓ, આવતા રવિવારે ગાંધીજીની જન્મજયંતીની કેટલી બધી ઉજવણીઓ થવાની છે?
પ્રવીણ : ગાંધીજીને તો એમના જન્મદિવસે જ નહીં, દરરોજ યાદ કરવાનો છે. પણ જન્મદિવસની ઉજવણી તો કરવી જોઈએ ને?
જો કે એમની જન્મજયંતીને નામે જે નાટકો થાય છે એને કારણે ઊગતી પેઢીના મનમાં ગાંધીજી માટે સારાને બદલે ખોટા ખ્યાલો ભરવામાં આવે છે. દાખલા તરીકે, સરકારી નેતાઓ પોરબંદરના કીર્તિમંદિરથી માંડીને દિલ્હીના રાજઘાટ સુધી અનેક જગાએ સમારંભ કરશે. જે સરકાર કાપડની મિલોને અને તેની પાછળના યંત્રોદ્યોગોને પૂરો ટેકો આપતી હોય, ખુદ પોતે પણ એ મિલોની અને યંત્રોદ્યોગોની આવકોનો ટેકે લેતી હોય, વધુ ને વધુ આધુનિક યંત્રો અને આયાતો દ્વારા પ્રજામાં વ્યાપક બેકારી ફેલાવતી હોય અને ગામડાંને તથા નબળા વર્ગોને પાયમાલ કરતી હોય તે ગાંધીજીને હારતોરા કરે તો લોકોમાં એની શું અસર પડે?
સરકારની વાત છોડો, એ તો આમેય ક્યા કામન છે? આપણી વાત કરીએ. આપણે ગાંધીજયંતીને દિવસે કોઈ સંસ્થામાં સભા કે વિચારગોષ્ઠી ગોઠવીશું ને તમે પણ એક શાળામાં રેંટિયા વિશેની પરિચર્ચામાં ભાગ લેવા માટે નથ જવાના?
પરંતુ એ માટે હા પાડી ત્યારથી મનમાં મૂંઝવણ છે. મૂંઝવણ
કારણ કે ગાંધીજીએ પ્રવચનો કે ચર્ચાઓ કરવાનું નહીં પણ કામ કરવાનું કહ્યું હતું, અને એ કામ પણ ગામડાંનું. નબળા વર્ગોનું અને તેમને મજબૂત બનાવવા દ્વારા દેશનું. જે આપણે કામ ક્યાં વગર ચર્ચાઓ કરીએ તો એનો કોઈ અર્થ ખરો ? વિચારગોષ્ઠી કે સભા કરતાં ગામડામાં જઈને ભૂમિહીન ભાઈબહેનોને રેંટિયો-વણાટ-રંગ શીખવી ખાદી બનાવવાનું ન શીખવવું જોઈએ ?
પણ એ કરવા માટે પણ સભાની તો જરૂર પડશે ને?
એ જરૂરી નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ, એકલી પણ જાતે એ શીખીને કોઈ ગામડામાં શીખવી શકે તેમ છે.
શાળા-કોલેજમાં આવાં પ્રવચનો અને ચર્ચાઓ ગોઠવીએ તો ૧ નવી પેઢીને જાણકારી મળે.
શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ કંઈક બનવા કે નોકરી-ધંધો કરવા માટેની તૈયારી મેળવવા માટે આવે છે. આજે બધા વિદ્યાર્થીઓને લેપ્યુટરનો કોર્સ કરવો છે અથવા ડૉક્ટર થવું છે. કારણ કે તેઓ સમાજમાં જોઈ શકે છે કે આ જાણકારી ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ગામડામાં રેંટિયા-સાળ-ગ વડે સફળતાપૂર્વક કાપડ બનાવ્યા વગર અને એનાથી ત્યાંના લોકોને કેટલો અઢળક ફાયદો થાય છે એ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org