________________
૩૮ / ધન્ય આ ધરતી
ગોળીઓ અને ડોક્ટરો આટલા થોડા દર્દીઓને સારવાર નથી આપી શક્યા? છાપાં તો ઊલટાનું એમ જણાવે છે કે દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી જાય છે. સામે મોત ઊભેલું હોય તો માણસ જો સારવાર દ્વારા પોતે સાજો થતો હોય તો હોસ્પિટલ છોડીને ભાગી જાય ખરો? દર્દીઓ ભાગી જાય છે એની ચિંતા પણ તે સાજા ન થયા એ અંગેની નહીં પણ તે બીજાને ચેપ લગાડશે એ અંગેની છે. અત્યારે મહાનુભાવોને ગાંધીજી યાદ આવે છે કે ગાંધીજીએ હિંદ સ્વરાજ્યાં કહ્યું હતું કે રેલવેને કારણે પ્લેગ ફેલાશે, આપણે કેમ એ ભૂલી ગયા? અત્યાર સુધી તો એમને ગાંધીજીને યાદ કરવાનું કોઈ કારણ નહોતું – રેલવે ગામડાંના લોકોનો કાચો માલ શહેરના યંત્રોદ્યોગને માટે લૂંટી લાવે છે એની સામે તો આંખ આડા કાન ર્યાં છે પણ હવે અગલું બગલું પોતાને માથે આવ્યું એટલે ગાંધીજી
યાદ આવ્યા!
સુરતમાં હીરા ઘસવાની મજૂરી કરવા માટે દૂર દૂરને ગામડેથી આવેલા અને બેકારીમાં હોમાયેલા લોકોની અવદશાનો વિચાર કરવા ગાંધીજી કેમ યાદ નથી
આવતા?
શા માટે એમની આ અવદશા થઈ છે?
એ
કારણ કે જીવન જરૂરિયાતની મુખ્ય ચીજો મોટી મોટી કંપનીઓ બનાવે છે અને હીરા તથા ગાલીચા જેવી તદ્દન જૂજ લોકો વાપરતા હોય એવી અને અનિશ્ચિત બજારવાળી વસ્તુઓમાં લાખો ગરીબ લોકોને ગ્રેજી શોધવાની છે. જે વસ્તુઓ આખા દેશના ત્રાણું કરોડ લોકો રોજબરોજ વાપરે છે – જેવી કે કાપડ, વાઓ, સાબુ, સિમેન્ટ, બસ, સાઈકલો, સ્કૂટરો અને બીજાં વાહનો અને એમનાં ટાયરો વગેરે ભાગો, લોખંડ, એલ્યુમિનિયમ, અરે ખાતર અને મીઠું સુદ્ધાં વસ્તુઓ મોટી કંપનીઓ બનાવે એટલે એમની આવક અઢળક અને સુનિશ્ચિત થાય અને કિંમતો વધવાની સાથે વધતી રહે. ઉપરાંત સંખ્યામાં આંગળીને વેઢે ગણાય એટલી જૂજ આ મહાકાય કંપનીઓ વધુ ને વધુ અદ્યતન ટેક્નોલોજી એટલે કે યંત્રો વાપરતી રહે (નિકાસ વધારવા માટે!) એટલે કરોડો લોકો બેકાર બને અને એમને કામ શોધવું પડે હીરા ઘસવામાં તથા ગાલીચા બનાવવામાં કે જેમનું બજાર તદ્દન નાનું અને અનિશ્ચિત છે, એટલે એમને બેકારીમાં તથા ગરીબાઈમાં ધકેલાવું પડે, ગંદકીમાં સબડવું પડે અને પ્લેગના પણ ભોગ બનવું પડે!
આ પ્લેગમાંથી કેવી રીતે છૂટીશું?
ગાંધીજીએ ઘૂંટી ઘૂંટીને કહ્યું હતું કે દરેક ગામડે આપણે કાપડ અને બીજી જીવનજરૂરિયાતની વસ્તુઓ બનાવીએ અને અનાજ તો આપણે ગામડામાં ઉગાડીએ જ છીએ એટલે આ રીતે આપણે સ્વતંત્ર અને સમૃદ્ધ બનીએ, અત્યારના ભ્રષ્ટ તંત્રની ચુંગાલમાંથી છૂટી જઈએ અને પોતાની મેળે વધતી રહે એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ. પ્લેગમાંથી છૂટવા આ માટે ગાંધીજીને યાદ નથી કરવાના?
Jain Education International
[L
For Personal & Private Use Only
-
www.jainelibrary.org