SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. પ્લેગમાંથી કેવી રીતે છૂટીશું? ગુજરાતને સુરતમાં અને બીજે ભયાનક પ્લેગે ખપ્પરમાં લીધું. પ્લેગ તો ગયા જમાનાનો અને નિયંત્રણમાં લેવાઈ ગયેલો રોગ મનાતો હતો. જોડણીકોશમાંથી એનું નામ પણ ભૂંસી નાખવું જોઈએ એવો રોગ ગણાતો હતો. તો આ થયો કેમ બહારના લોકો કહે છે કે ગુજરાતીઓ જાહેર સ્વચ્છતા નથી જાળવતા. એમની જાહેર સ્વચ્છતા તરફની આટલી બેદરકારી અક્ષમ્ય અને ગુનાખોર કહેવાય. પૂર આવ્યા પછી સફાઈ ન કરી એટલે આ રોગચાળો ફાટી નીકળ્યો. તો પ્રશ્ન એ છે કે શું જેમને પ્લેગ થયો એમને ગંદકી ભોગવવાનું મન થયું હશે ? પ્રશ્ન તો ઊલટો એ છે કે તેઓ ભયંકર ગંદકીમાં કેમ ધકેલાયા હતા ? સુરતમાં શાંતિનગરનો જે ઝૂંપડાવાસ છે તેમાં પોણા પાંચ લાખ લોકો એટલે કે શહેરની ચોથા ભાગની વસતિ રહે છે. ત્યાં દોઢસો કુટુંબો દીઠ એક સંડાસ છે. ૭૦ ટકા લોકોને ગંદા પાણીના નિકાલ માટે ગટરની સગવડ નથી અને ૬૦ ટકા લોકોને પીવાના પાણીની સગવડ નથી. પૂર આવે ત્યારે આ નીચાણના વિસ્તારોમાં અને કાચા ઝૂંપડામાં, ફાટેલાતૂટેલા પ્લાસ્ટિકના છાપરા નીચે રહેતા ગરીબ લોકોની હાલત કેટલી બધી કફોડી બને છે એમનાં ઝૂંપડાં તૂટી જાય છે અને એમાં પાણી સાથેનો કીચડ ભરાઈ જાય છે. એમની પાસે વધારે જોડ કપડાં નથી કે આખો વખત પલળેલાં કપડાં બદલી શકે. એમની પાસે જમીનથી ઊંચે સૂવા પલંગો નથી. એમની પાસે પાણી અને ભેજથી સુરક્ષિત અનાજના કોઠારો નથી. ઊલટું પૂર વખતે બજારમાં અનાજ અને ખોરાની વસ્તુઓ ઓછી, મોંઘી અને અદશ્ય થઈ જાય છે એટલે રોજેરોજનો આટો ખરીદતા એમને ભાગે તદ્દન ઊતરતી જાતનો સડેલા જેવો ખોરાક આવે છે. ખાવાના જ સાંસા હોય, પોષણ જ ન મળતું હોય ત્યાં રોગ પ્રતિરોધક દવાઓ તો ક્યાંથી હોય? મજૂરી કરીને રોજની આજીવિકા રોજ મેળવનારા એમની કમાણી પણ રહેતી નથી. પરિસ્થિતિ કેટલી હદે વણસી હશે કે પ્લેગ જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો? સરકારી આંકડાઓ કહે છે કે સુરત માટે રૂ.૨ કરોડ ફાળવ્યા, ૯૦ લાખ ટેટ્રાસાઈકિલન ગોળીઓ ત્યાં મોકલાઈ અને અનેક ડોકટરો દર્દીઓની સારવાર માટે ગયા, જ્યારે બીજી બાજુ સરકારના જ આડાઓ જણાવે છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા અત્યાર સુધીમાં ૪૭૦ થઈ છે જેમાંના ૩૧૭ હાલ હોસ્પિટલમાં છે. તો શું આટલા બધા પૈસા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy