________________
૩૬ / ધન્ય આ ધરતી
બજારકિંમત આપે પણ જ્યારે તે એ રૂનું સૂતર બનાવીને વણાવવા માટે લાવે ત્યારે તે સૂતરના વજન જેટલું ? એમને ઘણી ઓછી કિંમતે મળ્યા કરે. તો પછી રૂનો ઉપયોગ કાપડ બનાવવામાં જ થાય.
કાંતનારાઓએ પત્રકાર બહેનને રૂ અંગે મુશ્કેલી બતાવી એનું એક કારણ કદાચ એ પણ હોય કે લોકો આપણા તરફથી તેમને જે આર્થિક મદદ મળી શકે એમ હોય તે મેળવવા પૂરતી જ આપણી સાથે વાત કરતા હોય. આ કામમાં તેમને રૂ સસ્તું મળતું હતું એટલે એની વાત કરી. કારણ કે ખરું જોતાં તો જેમ રૂના ભાવ વધ્યા છે તેમ જ તે સાથે કાપડના પણ ભાવ તો એથી પણ વધારે વધ્યા છે એટલે રૂનો ભાવવધારો નડવો ન જોઈએ.
છતાં વાલજીભાઈની વાત પ્રમાણે કાંતનારાઓને કાપડ બનાવવાનું એટલું તો ઉપયોગી લાગ્યું કે તેઓ બાજુના ગામડામાં જાતે વણકરની વ્યવસ્થા કરવા તૈયાર થયા છે. છેવટે તો આ કામ એમને એટલું ઉપયોગી લાગવું જોઈએ કે એમનું જોઈને એમના સગાનાં કોઈ ગામડામાં કાપડ બનાવવાનું શરૂ થાય, તેઓ ત્યાં ટૂંકા તાંતણાનું રૂ ખરાબાની જમીન પર નજીવી કિંમતે ઉગાડે અને છેવટે રામદેવનગરના કાંતનારાઓને પણ ત્યાંથી નજીવી કિંમતે રૂ મળે અને એમને શહેરના બજારનું રે કોઈની આર્થિક મદદના ટેકાથી લેવું ન પડે.
આ થઈ શહેરના ઝૂંપડાવાસની વાત. ગામડામાં જો ગ્રામજનોને કાપડ બનાવવાનું ગમે તો ત્યાં તો રૂ ખરાબાની જમીન પર પણ ઊગી શક્યું હોઈ ત્યાં તો રૂનો પ્રશ્ન નથી.
બીજું, પોતાના ગામડાનાં કોઈ સભ્યો જો ત્યાંની વસ્તી માટે કાપડ બનાવવા માગતા હોય તો ત્યાંના મોટા ખેડૂતો તેમને તે માટેનું રૂ મત આપવા તૈયાર છે..
જે ગામડામાં પત્રકાર બહેને મારી સાથે આવ્યાં હતાં ત્યાં રેંટિયો શરૂ કરવા માગનાર એક ભાઈએ એમ કહેલું કે એટલું અમથું રૂ તો એ “ચોરી શકે તે એ અર્થમાં કે જ્યાં તેઓ રૂનાં કાલા ફોલવાની મજૂરીએ જાય છે ત્યાં એટલું બધું હજારો કિલો રે હોય છે, અને તે ત્યાં જ ઊગેલું હોય છે કે ત્યાંથી થોડા કિલો રે લાવવામાં કોઈ મુશ્કેલી નથી.
ઘણાં ગામડાંમાં ગ્રામજનોએ મને જણાવ્યું હતું કે જો તેઓ કાપડ બનાવવાનું શરૂ કરી શકે તો રૂનો તો પ્રશ્ન નથી.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો પુષ્કળ રૂ ઊગે છે. બીજા ઘણા પ્રાંતોમાં અત્યારે રૂ નથી ઊગતું તે એટલા જ કારણે કે કાપડની મિલો ત્યાંથી રૂ ખરીદતી નથી. પરંતુ જો ગ્રામજનો પોતે કાપડ બનાવે તો દેશભરમાં સહેલાઈથી રૂ ઉગાડી શકાય.
અલબત્ત, પર્વતીય ઠંડા પ્રદેશોમાં અને શિયાળામાં રૂને બદલે ન મેળવી શકાય અને ખૂબ વરસાદવાળા પ્રદેશોમાં ત્યાં ઊગતા કેળ કે શેરડી જેવા છોડમાંથી જલદી સુકાય એવા રેષા મેળવી શકાય.
અસીમ કૃપાળુ કુદરતે તો જે જે પ્રદેશમાં તેમ જ ઋતુમાં જે જે રેષાનું કાપડ માણસને અનુકૂળ છે તે રેષા માણસને નજીવા કામના બદલામાં મત આપેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org