________________
૧૪
પહેલી જરૂર રોટીની. તમે રેંટિયાનો ઢોલ વગાડો છો પણ લોકોને તો કપડાં કરતાં વધારે જરૂર રોટલાની છે.” સુરભિએ મને મળતાંની સાથે સંભળાવ્યું.
“અનાજ લાવવા પૂરતા પૈસા ભલે ન હોય પણ ફૂલફટાક કપડાં પહેરીને તો ફરી શકાય ને?” સૌરભે પણ મશ્કરી કરી.
પણ રેંટિયો અનાજ મેળવવા માટે જ છે.” મેં પૂછ્યું, “જેમની પાસે જમીન નથી એવા ગામડાંના લાખો લોકો કાપડ બનાવીને પોતાનાં ગામના ખેડૂતોને તે વેચીને અનાજ મેળવી શકે ને?”
“એ તો ખેડૂતો એ કાપડ ખરીદે તો ને ખેડૂતો તો હવે એટલા માલદાર થયા છે કે તેમને તેં શહેરનાં ફેશનવાળાં કપડાં જોઈએ છે.
“અત્યારે તો ગામડામાં આ કાપડ બનતું નથી એટલે ખેડૂતો શહેરનાં કપડાં ખરીદે એ દેખીતું છે, પણ એક વાર ગામડામાં આ રીતે કાપડ બનાવીને જોઈ જુઓ. ગામડામાં પણ સુંદર કાપડ બની શકે છે અને એ શહેરના કાપડ કરતાં અનેક ગણું સસ્તું બની શકે છે. બંધવણ ગામના ખેડૂતોને એ બહુ ગમ્યું. થોડાં ઘણાં ક્યડો તો એમને આવાં ગમે જ અને એમને ગમે એ ભાતનું જે કાપડ પહેલાં બનાવવાનું.”
સૌરભે બીજો સવાલ ઉઠાવ્યો. “પણ ગામના પાંચ-સાત ખેડૂતોના ઘરમાં કુલ કેટલું થોડું કપડું ખપે? એટલાથી આ જમીન વગરના લાખો લોકોનો ધંધો કેવી રીતે ચાલે?”
ચાલે નહીં પણ દોડે.” મારી વાતમાં હવે જોર આવ્યું. “ગામના થોડા લોકો આ રીતે કાપડનો ધંધો શરૂ કરે તો ગામના બીજા લોકો પણ એ કાપડ લેવા માટે બદલામાં કંઈક આપવા બીજા ધંધા શરૂ કરી શકે અને તો તે બીજા લોકો પણ પોતાની વસ્તુ ખેડૂતોને આપીને અનાજ મેળવી શકે.” | "મારા તો માનવામાં નથી આવતું.” સુરભિની શંકા ચાલુ હતી.
જો કે સુરભિ, આજે પણ ગામંડામાં ખેડૂતો તેમને જોઈતી જે સેવાઓ ગામમાં મળે તેના બદલામાં અનાજ આપે છે.”સૌરભે દલીલ કરી. “દરજીને, કડિયાને, હજામને, સોનીને પૈસાને બદલે અનાજ આપે છે. એમની પાસે અનાજ હોય એટલે આ રીતે એમના પૈસા બચેને ? તો પછી એ જ રીતે એમને જો અનાજ આપીને કાપડ, ઘરની વસ્તુઓ વગેરે પણ મળે અને એ પણ બજારકિંમત કરતાં અનેકગણી સસ્તી તો એમનો તો ફાયદો છે.” - “અને તમારો જે સવાલ છે કે લોકોને પહેલી જરૂર રોટલાની છે એની વાત કરો.” મેં પૂછયું, “આપણા દેશમાં ગામડામાં લાખો લોકો પાસે જમીન નથી એમને અનાજ બીજી કઈ રીતે મળી શકે થોડું ઘણું અનાજ તો તેઓ ખેતમજૂરી કરીને મેળવે છે, તે પણ તેમનામાંના જે સશકત લોકો છે તેઓ. પણ જેમને ખેતમજૂરી નથી મળતી તેઓ તો જો ખેડૂતોને જરૂરી વસ્તુઓ બનાવે તો જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org