________________
ચણતર : પાયાનો પથ્થર મુકાઈ ગયો છે | ૯
લખું છું,
માગતા યુવાનો એ બેને ભેગા કરી ગામડાંમાં કાપડ ઉદ્યોગ શરૂ કરવા માગે છે અને એ રીતે ગ્રામજનોમાં શક્તિ લાવી ત્યાં બીજાં કામો શરૂ કરવા માગે છે.
આપણા સમાજમાં આવા અનેક જણ છે. વાચકોએ આ વાત મારા કરતાં પણ વધુ સ્પષ્ટ રીતે, સીધી રીતે અને સમજણપૂર્વક મૂકી છે તે બતાવે છે કે દરેકના દિલમાં આ વાત પડેલી છે અને એ બહાર આવવા માગે છે.
તબીબ ડૉ. આશાબેન બુચ લખે છે : રે - જન્મભૂમિ-પ્રવાસમાં પ્રસિદ્ધ થતી તમારી વ્યથા અને વિકલ્પ શ્રેણીની લેખમાળા પહેલેથી જ હું અત્યંત રસપૂર્વક વાંચું છું અને જાણે સમાન વિચારસરણી ધરાવતા સુહૃદની મૈત્રીની ઉષ્મા – ભલેને એ પરોક્ષ હોય – અનુભવતી હોઉં એમ લાગે છે. તમારા અર્થશાસ્ત્ર વિષયક મંતવ્યો સચોટ અને વેધકે છે. આવી વિચારસરણી આજે વિનાશને આરે ઊભેલા માનવસમાજના ભવિષ્ય માટે મનમાં આસ્થા જન્માવે છે.
હું વ્યવસાયે તબીબ છું. છેલ્લા બાર વર્ષોથી મુંબઈની એક હોસ્પિટલના સમાજ સ્વાસ્ય-કલ્યાણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છું. મેં અમારા પ્રોજેક્ટ ડિરેક્ટરને વ્યથા અને વિકલ્પ વિશે વાત કરી છે. એમના કહેવાથી જ હું તમને આ પત્ર
રેટિયા-પ્રવૃત્તિથી અમને ઘણું મળી શકે એમ છે. એકાદ વર્ષથી અમારે ત્યાં લોકોને સંગઠિત કરી શકે એવો કાર્યનિષ્ઠ સોશિયલ વર્કર છે.
મારો પ્રશ્ન નીચે મુજબ છે :
(૧) રેંટિયા-પ્રવૃત્તિ વિશેની વિસ્તૃત માહિતી અને પ્રેકિટક્લ ગાઈડ લાઈન્સ - ક્યાંથી અને શી રીતે મળી શકે? (૨) વ્યથા અને વિકલ્પનું અંગ્રેજી ભાષાંતર મળી શકે?”
પૂનાથી ઉષાબેન મારુ લખે છે:
પુનામાં રોટરી કલબ તરફથી અમે નાના ઉદ્યોગો ધરાવતા લોકો મારફત હાથેથી ઘેર બેઠાં થઈ શકે એવાં કામો આપવાનું શરૂ કર્યું છે. બે-ત્રણ જગાએ લગભગ ૧૫૦ થી ૨૦૦ બહેનો આ કામ કરવા તત્પર છે. એ લોકો માટે જો સૂતર-વણાટ-રંગકામનું કામ શરૂ કરીએ તો બહેનોને કાયમ માટે આવકનું સાધન મળી રહે. આ માટે પૂરી માહિતી જોઈએ છે. એ માટે કોનો સંપર્ક સાધવો એ જણાવવા વિનંતી છે.”
છેક આફ્રિકાના વાચકો પણ કેન્યા અને યુગાન્ડામાં આ રીતનું ગ્રામનિર્માણનું કામ કરવામાં રસ ધરાવે છે.
આ મહાકાર્ય શરૂ કરનારને શરૂઆતમાં મુશ્કેલીઓ પણ આવે પણ મારા કામમાં જ્યારે મને શરૂઆતમાં મુશ્કેલીઓ આવી હતી ત્યારે સ્વ. કવિ સ્નેહરશ્મિએ સરસ પ્રોત્સાહન આપ્યું હતું. બીજાનું ભલું કરવા માંગનારનું કદી બૂરું થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org