________________
૮ | ધન્ય આ ધરતી
હીરજી સાવરે કરે છે ને રાસાયણિક ખાતર, સંકરણ બિયારણો, જંતુનાશક દવા વાપર્યા વગર ઓછા ખર્ચે વધારે પાક ને આવક મેળવે છે. આ વાત પણ ગામડાંના ખેડૂતને કરી શકાય કે જે આ વાતથી અજાણ છે.
બાળ-વિવાહ, સ્ત્રીઓની ખરાબ હાલત, નિરક્ષરતા વગેરે સામાજિક પ્રશ્નો પર કામ કરવાનું મને પહેલેથી ગમ્યું છે. તમે એકાદ વાર મુંબઈ આવી જાવ તો ખૂબ જ સારે. આ વિનંતી પણ છે અને આગ્રહ પણ છે. તો રૂબરૂમાં ચર્ચા પણ થઈ શકે ને ગામડામાં જઈ કેવી રીતે કામ શરૂ કરવું તેની સમજણ પડે કદાચ તમારું મુંબઈ આવવાનું શક્ય ન હોય તો મુંબઈમાં રેંટિયો ચલાવતાં કે બનાવતાં કોની પાસે શીખી શકાય તેનું એડ્રેસ આપવા વિનંતી અને સ્વયમ્' ' મુંબઈમાં શરૂ કરવા કોને મળવું અને બધાએ ક્યાં ભેગા થવું તે વિશે પણ લેખમાં જરૂરથી લખજો.
- તમારા કહેવા પ્રમાણે પોતાના ગામડામાં જઈ રેંટિયાની વાત કરવી જોઈએ, પણ હું તો ક્યારેય મારા ગામ ડેડાણ'માં ગઈ નથી. હું તો કોઈ પણ ગામને મારું ગામ ગણી કામ કરીશ. પહેલેથી જ મને ગામડાંએ આકર્ષી છે, ત્યાં રહેવા લલચાવી છે પણ હજી સુધી હું એ તક મેળવી શકી નથી.
હું બી.કોમ કરી ફી જ છું.” વણકર ભાઈ ભીખાલાલ ભાદરકા લખે છે :
“સવિનય સાથ જણાવવાનું કે પૂજ્ય નંદિનીબહેનને માલુમ થાય કે આપના બધા જ લેખો મેં રસપૂર્વક વાંચ્યા છે. (સામાહિક જન્મભૂમિ-પ્રવાસી રવિવાર).
અમો જ્ઞાતિએ વણકર છીએ અને મારા પિતાજી કુશળ કારીગર છે. વર્ષો પહેલાં અમો જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે પિતાજીનું વણાટકામ જોઈને, તેમની વણવાની કળાની પ્રશંસા બીજાના મોઢે સાંભળીને, અમને પણ આ વ્યવસાય પ્રત્યે અનહદ આર્ષણ થયું હતું, પરંતુ સરકારની નીતિના કારણે કે એવા કોઈ બીજા જ કારણે અમારા આ ઉદ્યોગને મરણતોલ ફટકો પડવાથી હાથશાળ બંધ કરવી પડી. અને જમીનદારોની ખેતીમાં મજૂરી કામ કરવા લાગ્યા. આપના પ્રયત્નોને જો યશ મળે અને ફરીથી આ વણાટકામને ઉત્તેજન મળે તો અમ જેવા લાખો લોકોની દુઆ આપને મળશે એવી પ્રાર્થના સાથે, તમારો વાચક.”
વડીલ તુલસીદાસભાઈ ઝાલા લખે છે : “મારી તમારી કોઈ ઓળખાણ નથી છતાં આજે કાગળ લખ્યો છે. જો ન ગમે તો માફ કરજો. જન્મભૂમિ-પ્રવાસમાં હું ઘણા વખત થયાં તમારા વ્યથા-વિકલ્પ નામના લેખ વાંચું છું મને બહુ જ ગમે છે. બીજું આંટી બેક લેખ વાંચ્યા પછી આ કાગળ લખવા વિચાર થયો. હું વૃધ્ધ ઊંમરનો છઉ... જો મને કોઈની સાથે (રેંટિયો) મોલાવો તો તમારી આંટી બૅન્ક ભરી દઉં એવી ઉમેદ રાખું છું અને ચરખાના પૈસા પણ હું તરત આપી દઈશ તો હું સાવ નવરો બેઠો રહું છું તો કામે લાગી જઉ. જે મારું આટલું કામ કરે તો તમારો ઉપકાર નહીં ભૂલું.”
' ઉપરના ત્રણ કાગળો સાથે મૂકવાથી જોઈ શકાશે કે વડીલો સૂતર બનાવવા માગે છે, વણકરો તેમાંથી કાપડ બનાવવા માગે છે અને સમાજનું ચણતર કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org