________________
ચણતર : પાયાનો પથ્થર મુકાઈ ગયો છે
ગામડાની માનવશક્તિ અને કુદરતી સંપત્તિ દ્વારા ત્યાં અઢળક સમૃદ્ધિ સર્જી શક્વાની મારી જે દલીલ છે તેના પ્રમાણમાં મારું વાસ્તવિક કામ ઘણું જે પાછળ છે. પરંતુ હમણાં એક મિત્રે કહ્યું કે તમારું કામ સાધન ઘડવાનું અને એ સાધન ચલાવવાનું કામ અમારું. વાચકેના પત્રો બતાવે છે કે વિચારોને વાસ્તવમાં મૂકવાની કુનેહ અને ધગશ એમનામાં ઘણી છે.
પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગામડામાં સ્થાનિક બજાર માટે વગર પૈસે કાપડ ઉદ્યોગ શરૂ કરીને એની પાછળ ત્યાં બીજા ઉદ્યોગો શરૂ થઈ શકે એ વાત સહના મનમાં “એક ને એક બે” જેટલી સીધી અને સ્પષ્ટ રીતે ઊતરી જાય છે. મેં વાત ગૂંચવીને મૂકી હોય તો પણ સામી વ્યક્તિ એ વધારે સમજપૂર્વક રજુ કરે છે.એક મિત્રને ત્યાં ગઈ હતી ત્યાં એમનાં બાએ એક વાક્યમાં આખો સાર મૂકી દીધો. કહે કે પ્રવાસમાં લેખો વાંચું છું, ખાદીનું કાપડ કેટલું બધું સસ્તું પડે એ લખો છે ને?
હમણાં કેટલાક વાચકોના જે પત્રો મળ્યા છે તે એમની સ્પષ્ટ સમજ અને એને કાર્યમાં મૂકવાની અદમ્ય ધગશ બતાવે છે.
કોમર્સ કૉલેજમાં ભણતી બીજલ પારેખ લખે છે :
વ્યથા અને વિકલ્પમાં તમે કરેલી રેંટિયાની વાત મને ખૂબ જ ગમી છે. હું નિયમિત તમારા લેખ વાંચું છે. મને પણ રેંટિયો બનાવતાં, ચલાવતાં અને બાકી બધી પ્રક્રિયાઓ જાણવી છે. ... શું આવું કોઈ મંડળ મુંબઈમાં ન બનાવી શકાય ? બને તો ઘણું જ સારું. તમારા લેખમાં તમે આ વાત કરજો અને જેમને મુંબઈમાં આ મંડળમાં રસ હોય તે બધા મળીને કામ કરે તો મુંબઈમાં જ રહીને ગુજરાતની જેમ મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં પણ જઈ શકાય.
મને તો પહેલેથી જ ગામડાંમાં જઈ કામ કરવાનું મન હતું. પણ નક્કર કઈ દિશામાં પગલાં ભરવાં તેની ખબર ન હતી. હવે તો રેંટિયો પણ મળી ગયો છે. રેંટિયાથી શરૂઆત કરીને પછી ગામડાંની બીજી સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકાય. જેમ કે રાસાયણિક ખાતર, સંકરણ બિયાં વગેરેથી ખેડૂતને ખર્ચો ખૂબ થાય છે, પણ સામે એટલી આવક થતી નથી. તેના ઉપાય તરીકે સજીવ ખેતી કરી શકાય કે જેમાં કુદરતી ખાતર વાપરી શકાય. વધારે પાણીની પણ જરૂર નથી અને સૌથી મોટી વાત તો એ કે વધારે પાક અને સારી ગુણવત્તા મેળવી શકાય. આવી સજીવ ખેતી મુંબઈમાં ઉમરગામ નજીક દેહરી ગામમાં ભાસ્કરરાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org