________________
૪૧
મહેનત કરના સીખો ઓ પઢને લિખને વાલોં.
દૂરદશર્ન દર્શકોને સંદેશાઓ પણ સંભળાવે છે. એનો એક સંદેશો છે : પઢના લિખના સીખો ઓ મહેનત કરનેવાલોં.' પણ વધારે જરૂરી સંદેશો તો એ છે કે : “મહેનત કરના સીખો ઓ પઢને લિખનેવાલ.' સુચંદ્રાની વાત રસ પડે એવી
હતી.
રમ્યાએ એમાં સૂર પૂરાવ્યો. ભણેલાઓને પણ હવે તો નોકરીઓ નથી મળતી અને વ્યાપક બેકારીને કારણે જેમને નોકરી મળે છે એમની નોકરીની ગુણવત્તા પણ ઘટતી જાય છે.
સહુને મહેનત ર્યા વગર સહેલાઈથી મળતા પૈસા જોઈએ છે, પછી ભલે એમાં ઊંધુંચતું અને કાળું ધોળું કરવું પડે. એની ખાસ અસર તો એ થાય છે કે એશ-આરામથી આવેલા પૈસા જાય છે પણ એશ-આરામને રસ્તે. શ્રમ કર્યા વગર હાથમાં આવેલા પૈસા કાં તો રેસ્ટોરાંમાં કે ડિમ્બેમાં જવામાં કાં તો કૉફી કલબમાં કે કીટીપાર્ટીમાં પત્તાં રમવામાં કાં તો બ્યુટી પાર્લરમાં કે જિગ્નેશ્યમમાં ફી ભરવામાં જાય છે.
મહેનત કરીને પરસેવો પાડીને મળતા પૈસા તો જરૂરના પ્રમાણમાં હોય. પણ મહેનત કર્યા વગર મળતા પૈસા જરૂર કરતાં ઘણા વધારે હોય છે એટલે એ પૈસા કાં તો કેવી રીતે વાપરવા કાં તો કેવી રીતે એમને વધારવા માટે એમનું રોકાણ કરવું એની વેતરણમાં સમય બરબાદ થાય છે.
સુચંદ્રા હે, મારા એક મિત્ર ઘણું ભણેલા છે પણ એમનો આખો દિવસ શેરબજાર અંગે માહિતી ભેગી કરવામાં અને ગણતરીઓ કરવામાં જાય છે. જેમ ક્રિકેટમાં બલ્લેબાજ સ્કોરબોર્ડ પર નહીં પણ મેદાનમાં સામી ટીમના ખેલાડીઓ ક્યાં ગોઠવાયા છે એની પર નજર રાખે છે અને દર્શકોની તાલીઓનું નહીં પણ દરેકે દરેક દડો કેવી રીતે આવે છે એનું ધ્યાન રાખે છે, એમ આ રીતે પૈસા બનાવવામાં પણ કેટલી બધી કંપનીઓ વિશે કેટલું બધું ધ્યાન રાખવું પડે એમાં લાખો લોકોનો કેટલો બધો સમય બરબાદ થાય ?
- ખેડૂત જે રીતે જમીન ખેડીને અનાજ ઉગાડીને રોટલો ખાય છે એમાં અને આ રીતે પૈસા કમાઈને આજીવિકા મેળવવામાં ઘણો ફેર છે. આ રીતે એશ-આરામ મળે તોય આ જીવન કૃત્રિમ છે. એટલે જ આજે મોટાં શહેરોમાં નગરજનોને મૂંઝવણ છે કે ઘણી વસ્તુઓ સમજાતી નથી, બુદ્ધિ બહેર મારી ગઈ છે. પરિણામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org