________________
શ્રમજીવીની સૂઝ અને આવડત / ૧૧૧
ન પડે; ત્યારે આ અંગે એમને કોઈ પ્રશ્ન જ નહોતો. એ વાત એક ને એક બે જેવી સ્પષ્ટ લાગી. બધાંએ એક પ્રશ્ન પૂછ્યો : રેંટિયો કાંતી બતાવો અને અમને શિખવાડો. ઘણાંએ મારો રેંટિયો લઈને કાંતી જોયું. કપાસ, સુથાર, વણકર, પીંજારાનું કેવી રીતે ગોઠવવું એ અંગે તો એમણે કહ્યું કે કોઈ ચિંતા જ નથી, અમે ગોઠવી લઈશું. ગામના ખેડૂતો પણ એમની સાથે જોડાયા હતા. એ કહે કે આ પાંચ વીઘા જમીનમાં પાસ વાવી દઈશું અને આ સાલ માટે લઈ આવીશું.
આ કહેવાતા ‘અભણ' લોકોમાં નક્કર કામ કરવાની અખૂટ તાકાત છે. પોતાની સામેની સમસ્યાઓ તેઓ જાતે ઉકેલતા આવ્યા છે. પરંતુ સમસ્યાઓના મૂળ ઉલરૂપ રેંટિયો વીસરાઈ ગયો છે તેથી તેઓ પૈસાની જાળમાં ફસાયા છે. એ રેંટિયો જો તેમને પાછો મળી જાય તો તેઓ જાતે જ ઘણા આગળ વધી શકે.
દેખીતું છે કે જેઓ અનાજ ઉગાડે છે તેઓ ઘરતી, સૂરજ, નક્ષત્રો, વરસાદ, આબોહવા, પ્રકાશ, પાણી અને ખાતર વિશે પણ જાણે જ છે, એટલે વૈજ્ઞાનિક સમજ ધરાવે છે.
શ્રમજીવી લોકોના હાથપગમાં જ નહીં, મગજ અને હૃદયમાં પણ ઘણી વધારે તાકાત છે. બુદ્ધિજીવીઓએ એમને શીખવવાનું નહીં પણ એમની પાસેથી શીખવાનું છે. શરૂઆત તો થઈ ગઈ છે. શહેરના લોકો હવે ગામડાં તરફ્ નજર કરવા લાગ્યા છે. ગામડાંના ભવિષ્યમાં પોતાનું ભવિષ્ય છે એમ જોવા માંડ્યા છે અને એથી ગામડાં કેવી રીતે સબળ અને સમૃદ્ધ બને એ માટે સક્રિય પણ થવા માંડ્યા છે.
તો ભાવિ સંમાજનું નેતૃત્વ કોણ કરશે ? બુદ્ધિજીવીઓ નહીં, પણ શ્રમજીવીઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org