________________
૧૦૯
૪૦ .
શ્રમજીવીની સૂઝ અને આવડતા
હવે એવો સમય આવ્યો છે કે આપણે આપણા પ્રશ્નો ઉકેલવા હશે તો અભણ લોકો પાસે શીખવા જવું પડશે.”
અતુલભાઈ, વાત તો તમે હસતાં હસતાં ધી પણ એનો ગંભીર વિચાર કરો ને?”
“જેઓ ભણેલા નથી અને ખુરશી પર બેસીને નહીં પણ હાથપગનો ઉપયોગ કરીને આજીવિકા મેળવે છે તેઓ હાથપગની કળા તો જાણે જ છે પરંતુ તેથી તેમનાં મગજ પણ બરોબર ચાલે છે. તેમની સામે પડેલું કામ જાતે પાર પાડી શકે છે.
જ્યારે બીજી બાજુ જેઓ બુદ્ધિજીવીઓ છે, તેઓ માત્ર પોતાના વિચારોની દુનિયામાં જ રહે છે, વાસ્તવિક્તાથી બહુ દૂર ચાલી ગયા છે, તેથી તેમના વિચારોમાં પણ ગૂંચવાડા છે અને તેઓ પ્રશ્નો ઉકેલી શક્તા નથી, સમજી પણ શકતા નથી. સામે પડેલું કામ ઉકેલવા માટે તેઓ માત્ર ફોન જ કરી શકે છે.” - કોઈ એક વાત જુદી જુદી કક્ષાના લોકોને કરીએ તો એમના પ્રતિભાવ કેવા જુદા જુદા હોય છે?
ઉચ્ચ બુદ્ધિજીવી ગણાતા વર્ગથી શરૂ કરીએ તો હમણાં એવી કેટલીક વ્યક્તિઓની એક મીટિંગ થઈ હતી. સમાજસુધારા અને ખાસ તો ગામડાંના ઉદ્ધાર વિશે એમણે વિચારો વ્યક્ત કર્યા. ગામડાના લોકો, તેમાંય જમીન વગરના નબળા લોકો, જાતે કાપડ બનાવીને ત્યાંના જ બજારમાં વેચી શકે તો નકકર કામ થાય એ અંગે મહાનુભાવોના અભિપ્રાય શા હતા? : ગામડાના લોકોને તો ટેરેલીન જ જોઈએ, એમને ત્યાં બનતું ખાદીનું કાપડ ન ગમે, આપણે એમને અદ્યતન વિકાસના લાભો પહોંચાડવા જોઈએ. ઉપરાંત એમણે બીજી દલીલ એ કરી કે યંત્રોથી જ માલ સસ્તો ઉત્પાદન કરી શકાય. યંત્રો દ્વારા થતા ઉત્પાદનને કારણે, ઊલટાનું વિદેશવેપાર, વાહનવ્યવહાર, દુકાનો અને જાહેરખબરો, વીજળી, બૅન્કો, સરકારો, કૌભાંડો, લશકરો, શસ્ત્રો વગેરે અઢળક ખર્ચા થાય છે એ વાત એમણે કાને ન ધરી. એમણે તો કહ્યું કે એ તંત્ર ઊભું કરેલું છે એટલે એને સાચવવું જ પડે. એ તંત્ર પોતે જ પોતાની જ ખામીઓને લીધે તૂટી રહ્યું છે અને તેથી સમાજને બીજા જુદી જાતના વિકલ્પની જરૂર છે એ વિશે તેઓએ ગંભીર સૂચન ન ક્ય. ખુરશી કે ગાદી પરથી નીચે ઉતરીને બુદ્ધિજીવીઓએ ગામડાંના ખેતમજૂરોનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org