________________
૧૦૮| ધન્ય આ ધરતી
દરેકને કોઈ ને કોઈ બોસ' નીચે રહેવું પડે છે. જેઓ પોતાનો ધંધો કરે છે તેમને પણ બજારનાં પરિબળોને આધીન રહેવું પડે છે.
રોની : મને હમણાં એક જર્મન વૈજ્ઞાનિક મળ્યા હતા. એમણે મને જે સવાલ કર્યો એણે મને વિચારમાં મૂકી દીધો. એમણે પૂછ્યું કે તમારે વિદેશી પ્રવાસીઓ માટે પર્યટનનાં સ્થળોની સગવડો શા માટે વધારવી છે એટલા માટે કે જર્મનો આવીને તમારા વેઈટરના મોં પર કોફીનો પ્યાલો ફેંકીને કહે કે લઈ જાઓ આ કૉફી પાછી, એ નથી સારી
રીની : પણ આમાંથી રસ્તો શો છે?
પ્રો. રાજેશ : જો કમ સે કમ પાયાની જરૂરિયાતો એટલે કે અન્ન, વસ્ત્ર, મકાન, દવા વગેરે પૈસા વગર પણ મળે, એટલે કે સ્થાનિક ધોરણે વસ્તુવિનિમયથી મળે તો આપણી ઘણી ચિંતાઓ, ઘણા તનાવો, ઘણી હિંસાઓ ઓછી થઈ જાય.
રીની : તો કોઈ કોઈને દબાવી ન શકે. તો સહુ મુક્ત મનથી, મોકળા દિલથી એકબીજાની સાથે હળીભળી શકે. સ્વાર્થના શુષ્ક વાતાવરણને સ્થાને ભીનાશ અને ઉષ્મા મેળવી શકે.
પ્રો. રાજેશ : આપણા દેશના લોકોને તો એ જ ગમે છે. જુઓને આપણી ફિલ્મો. એ હંમેશાં આપણે ત્યાં લોકપ્રિય રહી છે. એમાં અનેક અવરોધો વચ્ચે પણ છેવટે તો પ્રેમનો જ વિજ્ય થાય છે. એ જ આપણને જોઈએ છે. એ જ આપણી અંદરની આરજ છે.
રોની : રીની, ફન-પાર્કમાં પૈસા ભરીને પાણીમાં છબછબિયાં કરવાની વાત બાલિશ નથી લાગતી.અરે, અરે, તે તો મને અહીં જ હોળીના રંગોથી ભીજવી દીધો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org