________________
૧૦૪
- ૩૮ વિકાસની નવી દિશા વિશે સજાગ બનીએ
દર વર્ષે દુનિયાના સૌથી ધનિક સાત રાષ્ટ્રોની મિટિંગ જી-૭ મળે છે ત્યારે સાથે તે જ શહેરમાં અત્યારના આર્થિક વિકાસની રીતની ટીકા કરનારાઓ “જુદું અર્થશાસ્ત્ર મિટિંગ” પણ ભરે છે. દુનિયાભરમાંથી આવતા આ વિદ્વાનો બતાવે છે કે અત્યારની સમસ્યાઓ, ખાસ તો ગરીબાઈમાં અને પર્યાવરણના પ્રદૂષણમાં થઈ રહેલો વધારો કોઈ આકસ્મિક કારણે નથી, પણ અત્યારના આર્થિક વિકાસની જે રીત છે તેને કારણે છે.
ઈંગ્લેન્ડની આ વિષયમાં કામ કરતી સંસ્થાઓનું તાજેતરમાં લંડનમાં સંમેલન યોજાયું હતું. સંમેલનનાં તારણો રસપ્રદ છે.
જો સમસ્યા ગરીબાઈની છે તો સામાન્ય રીતે એનો ઉકેલ બતાવાય છે વિકાસ, પરંતુ વારંવાર આપણે જોયું છે કે વિકાસ ગરીબાઈનું માત્ર આધુનિકીકરણ કરે છે, તે પણ અત્યંત પ્રદૂષણને ભોગે, અને પરાવલંબનના નવા પ્રકારો ઉભા કરે છે.
| અક્ષરજ્ઞાન, બાલ-સ્વાથ્ય, શિક્ષણ વગેરેમાં મહામુશ્કેલીમાં મેળવેલા સુધારાઓ હવે અસરકારક રહ્યા નથી અને ગરીબાઈ મહેતા માણસોની સંખ્યા વધતી રહી છે.
વિશ્વબૅન્ક અને એવી બીજી સંસ્થાઓ, આ પ્રશ્નો વિષે ઉગ્ર ટીકાઓ કરવા છતાં, તેના નક્કર ઉકેલો ભાગ્યે જ સૂચવે છે. આપણે અત્યારે પછાત દેશોની સમસ્યાઓ વિશે લખાતાં પુસ્તકો જોઈએ તો દસમાંથી નવ પ્રકરણો તો શું ખોટું છે એના વિશે જ હોય છે અને ટૂંફ છેલ્લું પ્રકરણ વિકલ્પોની ચર્ચા કરે છે.
સંમેલનનું એક કારણ એ હતું કે અત્યારની વિકાસનીતિઓની નબળાઈ એ છે કે એ ગરીબ લોકોને બોજારૂપ માને છે, સમાજ પર અને અર્થતંત્ર પર, કે જેમને સહાયની જરૂર છે.
બીજા એક તારણ મુજબ ગરીબો નવરા નથી. તેઓ કામ તો કરે છે એટલે કે 'ગરીબ' શબ્દ નામ નહીં પણ વિશેષણ છે. ગામડાંના ગરીબો એટલે ગરીબ ખેડૂતો, ગરીબ રબારીઓ, ગરીબ માછીમારો. ટૂંકમાં, તેઓ ગરીબ ઉત્પાદકો છે. એમની ગરીબાઈ ઘટાડવાનો રસ્તો એ છે કે એમને એમના કામમાંથી વધુ કમાણી મળે. જો કે, એ કેવી રીતે મળે એ હેવાલમાં નથી બતાવ્યું. ઉપરાંત કરોડો ભૂમિહીન ગ્રામજનો જેમની એકમાત્ર આવક ખેતમજૂરીની છે એમનો પણ ઉલ્લેખ નથી.
આવાં સંમેલનો અને સંસ્થાઓમાં ઈંગ્લેન્ડના લોકોનો રસ વધતો જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org