________________
સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલો સફ્ળ ? / ૧૦૩
ભાગના પ્રજાજનોને પોતપોતાના ‘બૉસ’ના અંકુશ નીચે વર્તવું પડે છે અને આ ગુલામી જાણે કોઠે પડી ગઈ છે. અને સરકાર પ્રજાના પ્રશ્નો હલ ન કરી શક્તી હોવા છતાં પ્રજાને એના અંકુશમાં રહેવું પડે છે.
વળી સંયુક્ત રાષ્ટ્રસંઘને પણ આ સરકાર પોતાના આર્થિક બળ વડે અંકુશમાં રાખતી હોય છે. હેવાય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની મરજી વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાંદડું પણ હાલી ન શકે તો એ સંયુક્ત રાષ્ટ્રસંઘ દુનિયાના દેશોનું
-
શું ઉજાળી શકે?
જે બે મુખ્ય ધ્યેયો, દુનિયાના દેશોમાં શાંતિ અને પ્રગતિ, માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી એ પ્રાપ્ત ન થઈ શક્વાનું કારણ સરકારો પાસે પૈસા નથી એ નથી, પણ વિશાળ પ્રજા પાસે રોજીરોટી નથી એ છે. અત્યારની દુનિયાનો રોગ વ્યાપક અને વધતી જતી બેકારીનો છે અને એ રોગનું કારણ પૈસાનો અભાવ નહીં, બજારનો અભાવ છે. સરકારો કે સંયુક્ત રાષ્ટ્રસંઘ માત્ર પૈસા જ ફાળવી શકે, બજારો ઉભાં ન કરી શકે. દુનિયાના પાંચ અબજના જનસમાજના દરેક જણ માટે રોજીરોટી ઊભી કરી શાંતિ તેમ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘની નહીં, ગામડે ગામડે ઉદ્યોગીકરણ લાવવા શરૂઆતમાં વગર પૈસે કાપડ ઉદ્યોગ ઉભો કરવા માટે ગાંધીજીએ બતાવેલાં રેંટિયા અને સાળની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org