________________
પૈસો ક્યાં સુધી દુનિયાને ગોળ ફેરવશે ? / ૯૭
રૂપિયાનું મૂલ્ય ઘટી જાય એની ગણતરીએ જેઓની પાસે પૈસા છે તેઓ તે ખર્ચવા માગે એ દેખીતું છે. પરંતુ જો કે ફોડ પાડીને બતાવી ન શકાય પણ પૈસા ખર્ચવા શેમાં એ પણ પ્રશ્ન છે. ખાણીપીણી પાછળ પૈસા ખર્ચવા હોય તો પણ બહાર મળતા ખોરાકમાં એટલી બધી ભેળસેળ હોય છે કે એ સા ખર્ચીને આફ્ત વહોરવા જેવું થઈ શકે. ઘરવપરાશનાં સાધનો વસાવવાં હોય તો એ દરેકના દોષો હવે બહાર આવવા માંડ્યા છે. પ્લાસ્ટિક, પોલિથિલીન ગે વસ્તુઓ ઉપર હવે પરદેશમાં તો નિષેધ પણ મુકાવા માંડ્યો છે. ફ્રીજ, ટીવી, કૉમ્પ્યુટર, માઈક્રોવેવ ઓવન વગેરેમાંથી નીક્ળતાં કિરણો શરીર માટે હાનિકારક છે એવી ચેતવણીઓ હવે આવવા માંડી છે. દાખલા તરીકે, કૉમ્પ્યુટર સામે બેસીને કામ કરનારા હવે એનામાંથી નીક્ળતાં કિરણોથી બચવા મોઢા પર હેલ્મેટ પહેરે છે. ીજ સૂવાના રૂમમાં તો ન જ રખાય એમ સલાહકારો ક્લે છે. ઘર બનાવવામાં વપરાતા એસ્બેસ્ટોસ, સિમેન્ટ વગેરે શરીર માટે હાનિકારક મનાય છે. તો લાકડું, પથ્થર વગેરે કુદરતી ચીજોના ભાવ મોટા ભાગના લોકોની પહોંચની બહાર છે. છાણ-માટી વધારે આરોગ્યદાયક છે. અત્યાર સુધી લોકો સોનું-ચાંદી લેવા પાછળ પૈસા ખર્ચતા પરંતુ હવે એ ધાતુઓની કિંમત વધવા કરતાં ઘટવા તરફી વધારે છે. દારૂ, જુગાર અને નશા પાછળ પૈસા ખર્ચનાર તો પૈસા સાથે પોતે પણ ખુવાર થાય છે. એટલે પૈસા સારી રીતે કેમ ખર્ચવા એ પણ એક પ્રશ્ન છે.
એક રીતે જોતાં જે વર્ગના લોકો ઓછે પૈસે જીવન ગુજારે છે એમનું પલ્લું હવે નમતું જાય છે. કારણ કે આ વર્ગના લોકો પાસે શારીરિક શ્રમ કરવાની શક્તિ છે. પોતાનું કામ જાતે નિપટાવવાની શક્તિ છે. આપણે બીજાઓ ઉપર ખાસ આધાર રાખવાનો નથી હોતો. આપણને ઉપર જોઈ એવી ચિંતાઓ નથી. ખેતીના સાનિધ્યમાં રહેતા હોવાથી જીવન નભી જાય એટલું અનાજ મળી રહે છે. અલબત્ત ગરીબાઈને કારણે જે હાડમારી અને મજબૂરી સહન કરવી પડે છે એ તો નીંદનીય જ છે. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે જેઓની પાસે પૈસા છે તેઓ પણ હવે પૈસા પર મદાર ક્યાં સુધી રાખી શક્શે? તેમને પણ હવે પોતાનાં કામ જાતે નિપટાવતાં શીખવું પડશે. પોતાની સમસ્યાઓ જાતે ઉકેલતાં શીખવું પડશે. પોતાની મુસીબતોમાંથી જાતે રસ્તો કાઢતાં શીખવું પડશે. અત્યાર સુધી પૈસા આપીને ગમે તે કામ કરાવી શકાતું એ હવે ક્યાં સુધી શક્ય બનશે એ પ્રશ્ન છે. એ માટે જે પૈસા આપવા પડે તે પણ ઘણા વધારે આપવા પડશે.
આજે પહેલાંના સામ્યવાદી દેશોમાં તો પૈસાનું મૂલ્ય સાવ ગગડી ગયું છે. અંધાધૂંધી પ્રવર્તે છે. બજારો લગભગ ખાલી છે. એનું કારણ એ નથી કે વેચવા માટે કશું નથી, કારણ એ છે કે લોકોને થોડાઘણા પૈસા મેળવવામાં ખાસ રસ નંથી. મૉસ્કોમાં ટૅક્સી જોઈતી હોય તો ટૅક્સી રોક્વાથી કોઈ ટૅક્સીવાળો ઊભો રહેતો નથી, પરંતુ એને સિગારેટ કે કોઈ વસ્તુ આપવા માટે બતાવો તો જ ટૅક્સી રોકે છે. ખોરાક્ની દુકાનો પર થોડીક જ ચીજો વેચાવા આવે છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org