________________
બહુરાષ્ટ્રીય કંપનીઓની બેધારી તલવાર | લ્પ આપે ત્યારે તેના મજુરીના દર આપણે ત્યાં મળતા મજુરીના દર કરતાં વધારે હોય એટલે આપણા લોકો એ મજૂરી મેળવવા આક્ષય એમ આપણે જોઈ શકીએ છીએ પણ આપણે જે જોતા નથી તે એ કે આ જાતની ઉત્પાદન વ્યવસ્થાને કારણે બજારમાં જે વસ્તુઓ આવે છે તેમની કિંમતો ઘણી વધારે ઊંચે ચડે છે. એટલે મજૂરીની આવક વધારે થઈ હોય તો પણ એનો ફાયદો નથી રહેતો અને જે બધાને આ મજુરી નથી મળતી એમને તો મોંઘવારીમાં ટકવું મુશ્કેલ થાય છે. બહુરાષ્ટ્રીય ઉત્પાદનને કારણે વાહનવ્યવહાર, સંદેશવ્યવહાર, વિજળી વગેરે જાહેર સગવડોની કિંમતો પણ વધતી જાય છે. આ ઉપરાંત બહુરાષ્ટ્રીય ઉત્પાદનને કારણે આપણી પરદેશી હૂંડિયામણની જરૂરિયાત વધે છે અને તેથી એ કમાવા માટે આપણે વધુ ને વધુ કાચો માલ વેચવો પડે છે. દેશમાં કાચા માલનો પુરવઠો ઘટતાં અહીં નુક્સાન થાય છે.
પરિણામે પરદેશી ચલણનું વર્ચસ્વ અને એનેં કાબુ વધે છે. જમૈકાના એક હોટેલના પરિચારકે કહ્યું કે અમારા સમુદ્રતટે એક આલીશાન હોટેલમાં એક ધનિક પરદેશીએ અમને ખરાબ રીતે હડધૂત ક્ય. રમણીય સમુદ્રતટ અમારો, હોટેલ બાંધેલી અમે, ભોજન બનાવેલું અમે, એને સજાવટ સાથે પીસેલું અમે, છતાં એ પરદેશીએ અમારું સખત અપમાન કર્યું. એટલા જ કારણેને કે એના હાથમાં ડૉલરનો સિકકો છાપેલી નોટ હતી?
આ મૂળ સબક શીખવાનો છે. આ મૂળ સમસ્યા છે. જો આપણે ડૉલરની ગુલામીમાંથી એની જરૂરતમાંથી છૂટી શકીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા પર જે ગુલામી અને ગરીબાઈ લાદે છે તેમાંથી છૂટી શકૈએ.
ડૉલરની જરૂરમાંથી ક્વી રીતે છૂટી શકાય ? આપણા કાચા માલમાંથી આપણે જરૂરી વસ્તુઓ જાતે બનાવીને. અને તે પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ કરતાં વધારે સારી અને સસ્તી બનાવીને. આ જાતનું ઉત્પાદન આપણે અદ્યતન ટેકનોલોજી અને યંત્રોથી તો ન કરી શકીએ કારણ કે એ એટલા મોટા પાયા પર થાય કે એને પરદેશોમાં વેચવું પડે. એમાં આપણે મહાકાય કંપનીઓની સામે ન ટકી, શકીએ. પરંતુ આપણે કાચા માલમાંથી આપણે જરૂરી વસ્તુઓ બીજી રીતે પણ બનાવી શકીએ – સાદાં સાધનોથી. એ રીતે દરેક સ્થળે ઉત્પાદન સ્થાનિક બજાર માટે કરીએ તો એમાં ઉત્પાદન ખર્ચ ઘણો જ ઓછો આવે, કારણ કે વાહનવ્યવહારથી માંડીને જાહેરખબરો અને બેન્કો સુધીના પનીઓના બધા ખર્ચા આપણને ન આવે. એટલે કોઈ પણ કંપની એનાથી ઓછા ખર્ચે ઉત્પાહ્ન ન કરી શકે અને તેથી આપણી સાથે હરીફાઈમાં ન ટકી શકે.
તો આપણા કાચા માલના ઉત્પાદકોને પણ બહુરાષ્ટ્રીય કંપની કરતાં આપણને કાચો માલ વેચવામાં વધુ લાભ થાય. aખલા તેરીકે કેરીના ઉત્પાદકો ઉત્તમ કેરી પરદેશમાં વેચે છે કારણ કે ત્યાંથી તેમને વધુ પૈસા મળે છે. પરંતુ એ પૈસામાંથી તેઓ જેટલી વસ્તુઓ ખરીદે છે તેનાથી વધારે વસ્તુઓ અને વધુ સારી વસ્તુઓ જો તેમને સ્થાનિક બજારમાંથી જ એટલી કેરીના બદલામાં મળે તો તેમને પરદેશમાં વેચવાનું આકર્ષણ ન રહે. એ જ પ્રમાણે ૨, ઔષધીય વનસ્પતિઓ, ખનિજ વગેરેની બાબતમાં પણ આ શક્ય છે.
એટલે આપણે જે દરેક સ્થળે આપણા માટે વસ્તુઓ આપણે ત્યાં સ્થાનિક ધોરણે બનાવી એમનો અરસપરસ વિનિમય કરીએ તોં ઘણા સમૃદ્ધ થઈ શકીએ અને કોઈ બહુરાષ્ટ્રીય કંપની આપણને દબાવી ન શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org