________________
૯૪ | ધન્ય આ ધરતી આવે છે ક્યા હેતુથી આવે છે? શું મેળવવા આવે છે?
એક તો એમને આપણા દેશનાં કાચા માલ, ખેત પેદાશો, ખનિજ સંપત્તિ, વનસંપત્તિ વગેરેમાં રસ હોય છે. સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધોના દેશોમાં અનેક પ્રકારની કુદરતી સંપત્તિ છે જે શીત કટિબંધમાં આવેલા ધનિક દેશોમાં નથી. ઉપરાંત, એમને ત્યાં કેટલીક કુદરતી સંપત્તિ હોય તોય પોતાનાં જંગલો, પર્યાવરણ વગેરે સાચવી રાખવા તેઓ પોતાનો કાચો માલ વાપરવાને બદલે એ બહારથી લાવવાનું પસંદ કરે છે. બીજી બાજુ, આપણો દેશ આવો કુદરતી માલ વેચે ત્યારે આપણને સારી કિંમતો મળતી હોય એમ લાગે, પરંતુ એ કુદરતી માલમાંથી જ્યારે તૈયાર વસ્તુઓ બનીને આપણા દેશમાં વેચાવા આવે ત્યારે એ વસ્તુઓ ઘણી વધારે મોંઘી હોવાની. દાખલા તરીકે, દવાઓ બનાવનારી બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણે ત્યાં ઔષધીય વનસ્પતિઓ ખરીદે ત્યારે આપણને વધારે ભાવ આપતી હોય એમ લાગે તોય એ ભાવોના પ્રમાણમાં દવાઓ ઘણા મોંઘા ભાવે વેચે.
બીજે, આ કંપનીઓની નીતિ ‘તારું મારું સહિયારું અને મારું મારા બાપનું જેવી હોય છે. કોઈ કાચા માલમાંથી તૈયાર વસ્તુ બને એ વચ્ચે ઘણી ઉત્પાદન પ્રક્રિયાઓ હોય છે એમાંથી જે ઉત્પાદન પ્રશ્ચિાઓ કપરી તથા સસ્તી મજૂરી માગનારી અને પ્રદૂષણ પેદા કરનારી હોય છે તે આપણા દેશમાં કરવામાં આવે છે અને ઉપરથી આપણને એમ કહેવામાં આવે છે કે આપણા દેશમાં રોજગારી આપવામાં આવે છે, પરંતુ જે ઉત્પાદન પ્રક્રિયાઓ પ્રદૂષણરહિત અને નફાકારક હોય છે તે કંપનીના માલિકો પોતાના દેશમાં કરે છે.
એક દાખલો લેવાથી આ સ્પષ્ટ થશે. દુનિયામાં આંજે જેટલું એલ્યુમિનિયમ વપરાય છે તેનું મોટા ભાગનું ઉત્પાદક્ત પાંચથી સાત બહુરાષ્ટ્રીયે કંપનીઓ કરે છે. એ અમેરિકા, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, રશિયા વગેરેમાં આવેલૈં છે. એલ્યુમિનિયમનો વપરાશ વિજળીના તારથી માંડીને વિમાનો સુધીની વસ્તુઓમાં એટલે કે ઘણો જ હોય છે અને એ ધાતુ હલકી હોવાથી સંરક્ષણમાં પણ એનો ઘણો વપરાશ હોય છે. એટલે આ બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઉત્પાદન અને એમના નફા કેટલા ગંજાવર છે એ સમજી શકાયું તેવું છે. બીજી બાજુ એલ્યુમિનિયમ જે મૂળ ખનિજમાંથી બને છે તેનું નામ બોક્સાઈટ છે અને આ બોક્સાઈટ પૃથ્વીના ઉષ્ણ કટિબંધના દેશોમાં એટલે કે કેરેબિયન દેશો, લેટિન અમેરિકાનો ઉત્તર ભાગ, મધ્ય આફ્રિકા, ભારત, ઈન્ડોનેશિયા વગેરેમાં ઘણા પ્રમાણમાં મળે છે. બોક્સાઈટમાંથી છેલ્લે એલ્યુમિનિયમ બને એ વચ્ચે ઘણી પ્રક્રિયાઓ હોય છે. એમાં વચ્ચે એલ્યુમીના નામની ધાતુ બને ત્યાં સુધીની ઉત્પાદન પ્રક્રિયાઓ પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ કરે છે. એ ઉત્પાદનમાં મજૂરો પણ ઘણા જોઈએ અને એ જોખમી કામ કરવા તૈયાર હોવા જોઈએ. એટલે એલ્યુમિનિયમની બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉણ કટિબંધના દેશોમાંથી બોકસાઈટ ખરીદવાને બદલે તે દેશોમાં આર્થિક સહયોગ કરી એલ્યુમીના બને ત્યાર સુધીનું ઉત્પાદન ત્યાં સાવ ઓછી મજૂરી આપીને કરે છે અને પછી પ્રદૂષણરહિત એલ્યુમ્મના પોતાના દેશમાં લાવી એમાંથી એલ્યુમિનિયમ પોતાને ત્યાં બનાવીને આખી દુનિયામાં વેચે છે અને એલ્યુમિનિયમ અનેક વસ્તુઓ માટે જરૂરી હોવાથી અઢળક નફો કરે છે.
આપણા દેશમાં આ જાતની બહુરાષ્ટ્રીય કંપનીઓ મજૂરો રાખે કે નોકરીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org