________________
૯૩
૩૪
બહુરાષ્ટ્રીય કંપનીઓની બેધારી તલવાર
અઢળક નફો કરતી અને અદ્યતન ટેકનોલોજીનાં યંત્રો ધરાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા દેશમાં આવશે, આપણે ત્યાં એમની શાખા નાખશે, આપણા લોકોને મજુરી આપશે, આપણો કાચો માલ ખરીદશે, આપણને એમની ઉત્પન્ન કરેલી વસ્તુઓ આપશે, એટલે આપણે તો જાણે ન્યાલ થઈ જઈશું એમ ભ્રમ ઊભો કરવામાં આવે છે.
પરંતુ દેખીતું છે કે આ હાઈ-ટેક બહુરાષ્ટ્રીય કંપનીઓ એમના પોતાના લાભ માટે અહીં આવવા માગે છે. આપણા દેશમાં એ ઉત્પાદન કરે, કે કાચો માલ ખરીદે, તૈયાર વસ્તુઓ વેચે, કે આપણા દેશની કંપની સાથે સહયોગ કરે તો પણ એ બધી જાતનો જોડાણોમાં નાણાં આ બહુરાષ્ટ્રીય કંપનીઓનાં હોવાનાં, ટેક્નોલોજીની જાણકારી, મશીનો વગેરે પણ એમનાં હોવાનાં, મજૂરોથી માંડીને મેનેજરો સુધીના પગાર એમના તરફથી હોવાના એટલે જોડાણ ગમે તે જાતનું હોય પણ પકડ અને વર્ચસ્વ એમનાં રહેવાનાં એથી એમની શરતો આપણે માનર્થી પડવાની. . ઉપરાંત એ પણ સ્પષ્ટ છે કે કોઈ પણ ઉત્પાદનની ભાગીદારીમાં કાચોમાલ વેચનારને નહીં પણ એ માલમાંથી તૈયાર વસ્તુ ઉત્પાદન કરીને વેચનારને ફાયદો ઘણો વધારે થાય. એ અનેક ગણો ફાયદો કરવા માટે તો કાચો માલ ખરીદવામાં આવે છે. તે જ રીતે, કોઈપણ ઉત્પાદનમાં મજૂરીએ રહેનારને નહીં પણ મજૂરીએ રાખનાર માલિકને ફાયદો હોય એ પણ સ્પષ્ટ છે. મજૂરને તો માલિક શક્ય તેટલો ઓછો દર આપે છે અને એની પાસે કામ કરાવીને એ ઉત્પાદનના વેચાણમાંથી નફો કરવા તો એને મજૂરીએ રાખે છે.
" એટલે આપણને જે કહેવામાં આવે છે તે તો ઊલટું છે. આપણને એમ કહેવામાં આવે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા દેશની ખેતપેદાશો અને કુદરતી કાચો માલ ખરીદશે તો આપણી નિકાસો વધશે અને આપણને હૂંડિયામણની કમાણી થશે. અને એ પનીઓ અહીં ઉત્પાદન કરે તો આપણા દેશમાં રોજગારી વધશે. પરંતુ કાચો માલ વેચવો અને મજૂરી મેળવવી એ તો ખોટનો ધંધો છે. એ તો આપણું શોષણ છે. નફાનો ધંધો તો માલિક બનવામાં અને કાચા માલમાંથી તૈયાર વસ્તુ બનાવવામાં છે. માલિક મટીને મજૂર બનવું એટલે ગુલામી અને ગરીબાઈમાં સપડાવું.
આ અંગે આપણે શું કરી શકીએ ? એ જોવા માટે પહેલાં એ જોઈએ કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણને રોટલાના ટુકડાની જેમ જૂજ પૈસા નાખીને - પોતે કેવી રીતે ધંધો કરે છે!
નફો વધારવો એ જેનું ધ્યેય છે એવી આ કંપનીઓ આપણે ત્યાં શા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org