________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ધર્મધ્યાન અને શુક્લધ્યાન
ત્રીજા પ્રકારમાં યોગનિરોધની પ્રક્રિયા વખતે મન બિલકુલ નથી હોતું.
વિહરમાન પ્રભુ સુબાહુ જિન સ્તવનામાં પૂજ્ય દેવચંદ્રજી મહારાજે ભક્તિના લયમાં ધ્યાનનો મઝાનો ક્રમ ખોલ્યો છે :
યદ્યપિ હું મોહાદિકે છલિયો, પરપરિણતિ સું ભળિયો રે;
હવે તુજ સમ મુજ સાહિબ મળિયો,
તિણે સવિ ભવભય ટળિયો રે....૩
મોહાદિને કારણે પર-પરિણતિ, વિભાવોની અસર આત્મા પર હતી. પણ પ્રભુ મળતાં તે દૂર થાય છે.
કઈ રીતે ?
સ્તવનામાં જ તેઓ બતાવે છે :
ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ધ્યાતા પરિણતિ વારી રે; ભાસન વીર્ય એકતાકારી,
ધ્યાન સહજ સંભારી રે......૪
લક્ષ્યાંક નક્કી થયું. પ્રભુને ધ્યેય તરીકે સ્વીકાર્યા અને ત્યાં સુધી પહોંચવું એ નિર્ધાર થયો. પરમાત્મદશાની પ્રાપ્તિનો નિર્ણય.
લક્ષ્ય સુધી પહોંચવાનાં ચરણો આ થયાં : (૧) મનને આર્ત-રૌદ્રમાં જતું રોકવું. (૨) સ્વપરિણતિ તરફ જ જ્ઞાનોપયોગને લંબાવવો. અને એ રીતે (૩) ધ્યાનની ધારામાં સહજ રીતે જ જાતને મૂકવી.
७८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org