________________
॥ ધ્યાન અને કાયોત્સર્ગ ।।
[૮] ધર્મધ્યાન અને શુક્લધ્યાન
ધર્મધ્યાન અને શુક્લધ્યાનને વર્ણવતાં ધ્યાનશતક ગ્રન્થ કહે છે કે, ત્રિભુવનવ્યાપી મનનેં એક પદાર્થમાં લાવવું અને પછી ત્યાંથી પણ મનને કાઢી લેવું.
ધર્મધ્યાનમાં એક એક વિષય પર મનને કેન્દ્રિત કરવાનું છે, પણ ત્યાં એ વિષય જોડે સંબદ્ધ ભિન્ન પદાર્થો પર મન જઇ શકે છે.
શુક્લધ્યાનના પ્રથમ પ્રકારમાં મનને એક પદાર્થમાં (પદાર્થ એક જ, પણ એના ભિન્નભિન્ન પર્યાયો-નિત્યત્વ, અનિત્યત્વ આદિ કે ઉત્પત્તિ, નાશ, સ્થિરતા આદિમાં) કેન્દ્રિત કરાય છે.
શુક્લધ્યાનના બીજા પ્રકારમાં એક પદાર્થના પણ એક જ પર્યાય પર મન કેન્દ્રિત
થાય છે.
Jain Education International
86
For Personal & Private Use Only
www.jainelibrary.org